રાજ્યસભામાં વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું કે બ્રિટનમાં વધી રહેલા નસ્લવાદ મુદ્દાને યોગ્ય સ્થાને ઉઠાવીશું.
ભારતના આંતરિક મામલામાં દખલનો UKને મળશે જવાબ
જરૂર જણાશે તો UKના મુદ્દાને યોગ્ય સ્થાને ઉઠાવીશું: વિદેશ મંત્રી
આપણે મહાત્મા ગાંધીના દેશના લોકો છીએ: વિદેશ મંત્રી
ભારતના આંતરિક મામલાઓમાં દખલગીરી કરવા બદલ UKને જવાબ મળશે. રાજ્યસભામાં વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું કે બ્રિટનમાં વધી રહેલા નસ્લવાદ મુદ્દાને યોગ્ય સ્થાને ઉઠાવીશું.
જરૂર જણાશે તો UKના મુદ્દાને યોગ્ય સ્થાને ઉઠાવીશું: વિદેશ મંત્રી
હકિકતમાં ઓક્સફોર્ડ યુનિવર્સીટીમાં ગત દિવસોમાં એક ભારતીય વિદ્યાર્થીનીને વિરોધના કારણે રાજીનામું આપવું પડ્યુ હતુ. હવે યુનાઈડેટ કિંગડમમાં નસ્લભેદ સાથે જોડાયેલા આ મામલાનો પડઘો સોમવારે દેશની સાંસદમાં પડ્યો છે. સંસદમાં વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરે આ મામલે જવાબ આપતા કહ્યું કે, મામલામાં જીણવટ ભરી નજર રાખી છે. તેવાાં જરુર પડવા પર સરકાર સામે તેને ઉઠાવવામાં આવશે.
As land of Mahatma Gandhi, we can never ever turn our eyes away from racism. Particularly so when it is in a country where we have such a large diaspora. We've strong ties with UK. We'll take up such matters with great candour when required: EAM on Oxford University's racism row pic.twitter.com/s54BS8GFYE
રાજ્યસભામાં વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું કે બ્રિટનમાં વધી રહેલા નસ્લવાદ મુદ્દાને યોગ્ય સ્થાને ઉઠાવીશું. આપણે મહાત્મા ગાંધીના દેશના લોકો છીએ. આપણે નસ્લવાદના મુદ્દા પર મોઢુ ન ફેરવી શકીએ. એ પણ ત્યાં જ્યાં મોટી સંખ્યામાં ભારતીયો રહે છે. યુકે સાથે આપણે સંબંધો સારા છે. જો કોઈ મામલો સામે આવે છે. તો અમે તેને તેમની સામે ચોક્કસ રાખીશું.
શું છે ઘટના
ઉલ્લેખનીય છે કે ઓક્સફોર્ડ યુનિવર્સીટીમાં ગત દિવસોમાં રશ્મિ સામંત સ્ટૂડન્ટ યુનિયનની પ્રેસિડન્ટ તરીકે પસંદગી પામી હતી. પણ કેટલીક જૂની સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થયા બાદ તેના પર નિશાન સાધવામાં આવ્યા અને તેના શપથ ગ્રહણ પહેલા તેને રાજીનામુ આપવું પડ્યુ. નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ભારત અને યુકેની વચ્ચે રાજનીતિક રીતે વાદ વિવાદ વધ્યો છે. કૃષિ મામલામાં ગત દિવસોમાં બ્રિટનની સાંસદમાં ચર્ચા થઈ હતી. જે બાદ ભારત તરફથી સ્પષ્ટ કહેવાયુ હતુ કે કૃષિ કાયદોએ અમારો આંતરીક મામલો છે. જેમાં કોઈ બહારના દખલ ન દે.