દેશના 7 રાજ્યોની 59 લોકસભા બેઠકો માટે આજે છઠ્ઠા તબક્કાનું મતદાન યોજાયું હતું. જેમાં ચૂંટણી પંચે કહ્યું કે, છઠ્ઠા તબક્કામાં સરેરાશ 63.3 ટકા જેવું મતદાન થયું હતું. જેમાં દિલ્હીની 7, બિહારની 8, હરિયાણાની 10 બેઠક પર તથા ઝારખંડની 4, મધ્યપ્રદેશની 8 બેઠક પર મતદાન યોજાયેલ.
દિલ્હીની 7, બિહારની 8 અને હરિયાણાની 10 બેઠક પર મતદાન હતું. તો ઝારખંડની 4 અને મધ્યપ્રદેશની 8 બેઠક પર તેમજ પશ્ચિમબંગાળની 8 અને યુપીની 14 બેઠક પર મતદાન થયેલ. ત્યારે, સરેરાશ 63.3 ટકા મતદાન થયેલ.
મતદાન દરમિયાન બંગાળના ઝારગ્રામમાં ભાજપના બૂથ કાર્યકર્તા મૃત મળ્યા છે. તેમનું નામ રામેન સિંહ જણાવાઇ રહ્યું છે. ભાજપના કાર્યકર્તા સિવાય એક ટીએમસી કાર્યકર્તાનો પણ મૃતદેહ મળી આવ્યો છે. ત્યારે બે ટીએમસી કાર્યકર્તાઓને ગોળી મારી દેવામાં આવી છે. આ તમામ બાબતો વચ્ચે પ. બંગાળમાં તેમ છતાં અહીં 80% જેટલું મતદાન થયું છે.
યૂપીના આઝમગઢમાં EVM ખોટવાયાની ફરિયાદ
ઉત્તરપ્રદેશમાં ઈવીએમ ખોટાવાય હોવાની ફરિયાદો સામે આવી છે. યૂપીના આઝમગઢમાં ઈવીએમ ખોટવાયા હોવાની ફરિયાદ સામે આવતા સપાએ ચૂંટણી પંચને પત્ર લખીને ફરિયાદ કરી છે. સપાએ ચૂંટણી પંચને પત્ર લખીને કહ્યું કે, આઝમગઢના ગોપાલપુરમાંથી આવી રહેલી ફરિયાદો પર ચૂંટણી પંચ ઝડપી કાર્યવાહી કરે. ચૂંટણી પંચ નિષ્પક્ષ ચૂંટણી કરાવીને પોતાની નિષ્પક્ષતા સાબિત કરે.
દિલ્હીમાં અનેક જગ્યાએ EVM ખોટવાયા
દિલ્હીમાં અનેક વિસ્તારમાં ઈવીએમ ખોટવાયા હોવાની ફરિયાદો સામે આવી છે. દિલ્હીના ચાંદનીચોક, સિવિલ લાયન્સ, મટિયા મહલ, યમુના વિસ્તારમાં ઈવીએમ ખોટવાયા હોવાની ફરિયાદો સામે આવી છે. જે બાદ અનેક મતદારો મતદાન કર્યા વગર પોતાના ઘરે પરત ફર્યા છે. ત્યારે કોંગ્રેસે આ મામલે ભાજપ પર આરોપ લગાવ્યો છે. કોંગ્રસે આરોપ લગાવ્યો કે મુસ્લિમ વિસ્તારમાં ભાજપે ઈવીએમ સાથે છેડછાડ઼ કરી છે.
દિલ્હીમાં સાત સીટો પર મતદાન યોજાયું છે. આ તમામ સીટો પર જોકે, ભાજપનો કબજો છે. પણ અહીં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિકોણીયો જંગ છે. તો ચાંદનીચોકમાં પણ ઈવીએમ ખોટવાયા હોવાની વાત સામે આવી છે. એવું સામે આવ્યું કે મતદારો મતદાન કર્યા વગર જ પરત ફર્યા છે. ઈવીએમ ખોટવાતા કોંગ્રેસે ભાજપ પર આરોપ લગાવ્યો છે.