દર વર્ષે ગણેશ વિસર્જન દરમિયાન કોઇને કોઇ દુર્ઘટનાઓ સામે આવે છે. ત્યારે ગણેશ વિસર્જન દરમિયાન એક નદીમાં છ યુવકો ડુબ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાંના 2 યુવકોના મોત થયા છે.
અરવલ્લીના ધનસુરાના ખડોલ પાસેની નદીમા 6 યુવકો ડુબી ગયા છે. કેસરપુરાના ગણેશનુ વિસર્જન કરવા જતી વખતે આ ઘટના બની છે. જેમાં બે યુવાનોનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. તરવૈયાઓ દ્વારા ચાર યુવાનોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ટીડીઓ, મામલતદાર સહીતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોચ્યાં છે.
ઘટનાસ્થળે આસપાસના વિસ્તારના લોકો ઉમટી પડ્યા છે. ત્યારે દુર્ઘટનાના પગલે યુવકોના પરિવારજનોમાં અરેરાટી મચી જવા પામી છે. જ્યારે અન્ય યુવકોની શોધખોળ હજુ ચાલી રહી છે.
આ પ્રકારની અન્ય કોઇ દુર્ઘટના ન બને તે માટે VTV.COM દ્વારા અપીલ કરવામાં આવે છે કે ગણેશ વિસર્જન સમયે સાવચેતી રાખો. અજાણ્યા નદી, તળાવ કે દરિયામાં મૂર્તિ વિસર્જન પહેલા સાવચેતી જરૂરી છે. ઊંડા પાણીમાં ગણેશ વિસર્જન ન કરવું જોઇએ. જેમને તરતા નથી આવતડુ તેમણે પણ નદીના પાણીમાં ન જવું જોઇએ.