કેન્દ્ર સરકારે શુક્રવારે કહ્યું કે અત્યાર સુધીમાં કેરળ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને ગુજરાતમાં બર્ડ ફ્લૂ હોવાની પુષ્ટિ થઈ ચૂકી છે. સરકારે આ છ રજ્યોને કાર્ય યોજના અનુસાર આ બિમારી પર કાબૂ મેળવવાના નિર્દેશ આપ્યા છે. દિલ્હીના હસ્તતાલ વિલેજના ડીડીએ પાર્કમાં 16 પક્ષીઓના આકસ્મિત મોતના સમાચાર મળ્યા છે. અને નમૂનાઓને તપાસ માટે પ્રયોગશાળામાં મોકલી દેવાયા છે. એક સત્તાવાર નિવેદન અનુસાર, અત્યાર સુધીમાં 6 રાજ્યોમાં સંક્રમણની પુષ્ટિ થઈ ચૂકી છે. જાણવા મળ્યું છે કે કેરળના 2 અસરગ્રસ્ત જિલ્લામાં પક્ષીઓને મારવાનું અભિયાન ખતમ થઈ ગયું છે. સંક્રમણ મુક્ત કરવાની પ્રક્રિયા જારી છે.
6 રાજ્યોની મુલાકાત માટે કેન્દ્રની ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે
પશુધન તથા ડેરી વિભાગે અસરગ્રસ્ત રાજ્યોને સલાહ આપી
અહીં 16 પક્ષીઓના આકસ્મિક મોત થવાના સમાચાર મળ્યા
કેન્દ્રની ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં એવિયન ઈન્ફ્લૂએન્ઝા (એઆઈ)થી અછૂત રહેલા રાજ્યોમાં પક્ષીઓના આકસ્મિત મોતને લઈને સતર્ક રહેવા અને તત્કાલ આની જાણકારી આપવાનો અનુરોધ કર્યો છે. જેથી ઓછામાં ઓછા સમયમાં જરુરી પગલા ભરી શકાય. અસરગ્રસ્ત રાજ્યો કેરળ, હરિયાણા, હિમાચલ પ્રદેશની મુલાકાત કરવા માટે કેન્દ્રની ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે. જે હાલાત પર નજર રાખી મહામારી સંબંધી જરુરી તપાસ કરશે.
પશુધન તથા ડેરી વિભાગે અસરગ્રસ્ત રાજ્યોને સલાહ આપી
સરકારે કહ્યું કે આઈસીએઆર નિષાદના નમૂનાની તપાસ બાદ હરિયાણાના પંચકુલાની 2 પોલ્ટ્રી ફાર્મોમાં એવિયન ઈન્ફ્લૂએન્ઝા સંક્રમણ હોવાની પુષ્ટિ કરી છે. ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં પ્રવાસી પક્ષીઓની સાથે સાથે રાજસ્થાનમાં સવાઈ માઘોપુર, પાલી, જૈસલમેર અને મોહર જિલ્લામાં કાગલાની વચ્ચે બર્ડ ફ્લૂ ફેલાયાની પુષ્ટિ કરવામાં આવી છે. જો કે પશુધન તથા ડેરી વિભાગે અસરગ્રસ્ત રાજ્યોના કાર્યયોજના અનુસાર રોગ પર કાબૂ મેળવવાની સલાહ આપી છે.
અહીં 16 પક્ષીઓના આકસ્મિક મોત થવાના સમાચાર મળ્યા
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હીના હોસ્પિટલ વિલેજના ડીડીએ પાર્કમાં પણ 16 પક્ષીઓના આકસ્મિક મોત થવાના સમાચાર મળ્યા છે. દિલ્હીના પશુધન વિભાગે સાવચેતી ભર્યા પગલા લેતા નમૂનાને આઈસીએઆર- નિષાદ મોકલી દીધા છે અને તપાસ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. સરકારનું કહેવું છે કે પોલ્ટ્રી ખેડૂતો અને સામાન્ય લોકો (ઈંડા અને ચિકન ઉપભોક્તાઓ)ની વચ્ચે બિમારીને લઈને જાગૃતતા બહુ મહત્વની છે.
પોલ્ટ્રી ઉત્પાદો વિશે જાગરુક્તા વધારવાનો અનુરોધ કરવામાં આવ્યો છે
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ચિકન અને ઈંડાના સેવનને લઈને વિશ્વાસ ઉભો કરવા સંબંધિત પશુધન તથા ડેરી વિભાગના સચિવ સંપ્રેષણ સ્વાસ્થ્ય મંત્રાલયને મોકલી લેવામાં આવ્યા છે. નિવેદનમાંકહેવામાં આવ્યું છે કે સ્વાસ્થ્ય મંત્રાલય સાથે આ સંબંધમાં યોગ્ય સલાહ લેવા કહેવામાં આવ્યું છે. જેથી અફવાઓને અટકાવી ઈંડા અને ચિકનના સેવન પર ભરોસો કાયમ મેળવી શકાય. તેમજ કહેવાયું છે કે આ ઉપરાંત રાજ્યોમાંથી એ પોલ્ટ્રી અથવા પોલ્ટ્રી ઉત્પાદો વિશે જાગરુક્તા વધારવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. જેને બાફીને કે પકવીને ખાવું સુરક્ષિત છે. કેન્દ્ર સરકારે આ અંગે મદદ પુરી પાડવાનું આશ્વાસન આપ્યું છે.