હિમાચલ પ્રદેશના સોલનના કુમારહટ્ટી-નાહન હાઇવે પર આવેલી સેહજ ઢાબ અને ગેસ્ટહાઉસની બિલ્ડીંગ ધરાશયી થઇ છે. આ બિલ્ડીંગ ધરાશયી થતાં અનેક લોકો બિલ્ડીંગની નીચે દબાયેલા હોવાની આશંકા છે. જો એક અહેવાલ મુજબ 35 લોકો બિલ્ડીંગની નીચે દબાયેલા હોવાની પહેલા આશંકા હતી. જો કે અત્યાર સુધીમાં 28 લોકોને બચાવી લેવામાં આવ્યાં છે.
જો કે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જવાનો અહીં જમવા માટે રોકાયા હતા ત્યારે આ દૂર્ઘટના ઘટી છે. આ દૂર્ઘટનામાં 6 જવાન સહિત 7 લોકોનાં મોત નિપજ્યાં છે. દૂર્ઘટનાને લઇને તપાસના આદેશ આપવામાં આવ્યાં છે.
Solan Dy Commissioner KC Chaman on building collapse in Solan: Around 17 Army personnel & 11 civilians rescued so far. 6 Army & 1 civilian casualties reported, 7 Army personnel are still feared trapped. Search&rescue operation to be completed by today afternoon. #HimachalPradeshpic.twitter.com/knjLdXAMEY
જો કે આ અગાઉ 18 સેનાના જવાનોને સુરક્ષિત બહાર નિકાળી લેવામાં આવ્યાં હતા. જ્યારે આ દૂર્ઘટનામાં છ જવાન સહિત સાતના મોત નિપજ્યાં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જય રામ ઠાકુરે ઘટના સ્થળની મુલાકાત લીધી. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે જણાવ્યું કે પંચકુલાથી એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને ડોકટરોની ટીમ પણ પહોંચી ગઇ હતી.
ઘટના સ્થળ પર બચાવ અને રાહત કાર્ય હજી પણ ચાલી રહ્યું છે. ઘટના અંગેની તપાસ કરવામાં આવશ તેમ સીએમ જયરામ ઠાકુરે જણાવ્યું હતું. આ અંગે ભારતીય જનતા પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જે. પી. નડ્ડાએ હિમાલલ પ્રદેશના સીએ સાથે આ દૂર્ઘટનાને લઇને ટેલિફોનિક વાતચીત કરી હતી.
Himachal Pradesh: Search and rescue operation in Solan's Kumarhatti, where a building collapsed yesterday. is underway. 7 casualties have been reported till now - 1 civilian and 6 defence personnel, 7 more to be rescued. pic.twitter.com/Nza1Fs1Psg
જો કે બિલ્ડીંગ કઇ રીતે ધરાશયી થઇ તે અંગે હજુ સુધી કોઇ જાણકારી પ્રાપ્ત થઇ નથી. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. ઇજાગ્રસ્ત જવાને જણાવ્યું હતું કે તેઓ જ્યારે જમવાનું જમી રહ્યાં હતા ત્યારે જમીન જાણે હલી હોય અને બિલ્ડીંગ ધરાશયી થયું. આ બધા જવાન ડગશાઇ બટાલિયનના જવાન હતા.