જામનગરઃ જામનગર-દ્વારકામાં ધોરીમાર્ગ પર ગમખ્વાર અકસ્માતના બનાવ બન્યા હતા. જુદા-જુદા ત્રણ અકસ્માતમાં 6 લોકોનાં મોત થયા હતા. જામનગરના ચેલા પાસે રિક્ષા અને કાર વચ્ચે ટક્કર સર્જાતા 1નું મોત અને 11 લોકો ઘાયલ થયા હતા. જ્યારે કાલાવડ રોડ પર કાર પલટી જતાં એકનું મોત થયું હતું. અન્ય એક ઘટનામાં દ્વારકાના ભાટિયા પાસે 4 લોકોનાં મોત થયા હતા.
ઉલ્લેખનીય છે કે જામનગરમાં જુદા-જુદા ત્રણ અકસ્માત સર્જાયા હતા. જેમાં 6 વ્યક્તિઓના મોત થયા હતા. શહેર સહિત સમગ્ર ગુજરાતમાં અકસ્માતોની સંખ્યા વધી રહી છે. બે ફિકરાઇ અને નશામાં વાહન ચલાવતા આ પ્રકારની દુર્ઘટના સર્જાઇ છે. ત્યારે આ દુર્ઘટનાઓમાં લોકો પોતાનો જીવ ગુમાવે છે.