કેન્દ્ર સરકારે બાળકોની સારવાર સંબંધી ગાઈડલાઈન જારી કરી દીધી છે.
બાળકોમાં રેમડેસિવિર ઈન્જેક્શનનો ઉપયોગ ન કરવાની સલાહ
સમજી વિચારીને સિટી સ્કેનનો ઉપયોગ
એડવાઈઝ વગર સ્ટેરોયર્ડનો ઉપયોગ બિલકુલ નહીં કરવો
બાળકોની સારવાર સંબંધી ગાઈડલાઈન જારી
કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ખતરનાક સાબિત થવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. જેને જોતા સરકારોએ પગલા ભરવાનું શરુ કરી દીધું છે. એ જ ક્રમમાં કેન્દ્ર સરકારે બાળકોની સારવાર સંબંધી ગાઈડલાઈન જારી કરી દીધી છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બાળકોમાં રેમડેસિવિર ઈન્જેક્શનનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવી છે.
એડવાઈઝ વગર સ્ટેરોયર્ડનો ઉપયોગ બિલકુલ નહીં કરવો
ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે સારવાર દરમિયાન સ્ટેરોયડના ઉપયોગ પર ધ્યાન આપવું ઘણું જરુરી છે. આનો ઉપયોગ યોગ્ય સમય પર અને યોગ્ય માત્રમાં થાય તે બહું જરુરી છે. સાથે મેડિકલ એડવાઈઝ વગર સ્ટેરોયર્ડનો ઉપયોગ બિલકુલ નહીં કરવો જોઈએ.
સમજી વિચારીને સિટી સ્કેનનો ઉપયોગ
આ ઉપરાંત સિટી સ્કેનનો ઉપયોગ પણ યોગ્ય સમયે કરવાની સલાહ આપવામાં આવી છે. ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યુ છે કે ડોક્ટરો બાળકોના સિટી સ્કેન કરતા સમયે બહું જ સંવેદનશીલતા વર્તવી જોઈએ. ત્યારે રેમડેસિવિર ઈન્જેક્શનને લઈને કહેવામાં આવ્યું છે કે એફિકેસી ડેટાની અછતના કારણે બાળકોમાં આનો ઉપયોગ નહીં કરવો જોઈએ.
ત્રીજી લહેર બાળકો માટે જીવલેણ સાબિત થઈ શકે
ઉલ્લેખનીય છે કે વિશેષજ્ઞોએ આશંકા વ્યક્ત કરી છે કે કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ઘાતક સાબિત થઈ શકે છે. વિશેષજ્ઞોના જણાવ્યાનુંસાર દેશમાં કોરોનાની પહેલી લહેર વૃદ્ધો માટે ખતરનાક સાબિત થઈ હતી. જ્યારે બીજી લહેર યુવા વસ્તી માટે ખતરનાક સાબિત થઈ હતી. વિશેષજ્ઞોનું માનીએ તો કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે.
રસીના ટ્રાયલની પરવાનગી મળી ચૂકી છે
આ જ કારણે બાળકોમાં રસીકરણ માટે પ્રયાસ ચાલી રહ્યા છે. ભારતની સ્વદેશી રસી કોવેક્સિન નિર્માતા કંપની ભારત બાયોટેકે બાળકોમાં ટ્રાયલની પરવાનગી મેળવી છે. ભારત બાયોટેક તરફથી આ ટ્રાયલમાં 525 વોલેન્ટિયર્સ પર કરવામાં આવશે. આ ટ્રાયલમાં 2થી 18 વર્ષના બાળકોને સામિલ કરવામાં આવ્યા છે.