મધ્ય પ્રદેશમાં 16 ફેબ્રુઆરીના રોજ બનેલી એક મોટી દુર્ઘટનામાં સીધીથી સતના જઈ રહેલી એક બસ નહેરમાં ખાબકતા મોટી કરુણાંતિકા સર્જાઈ હતી અને અત્યાર સુધીની માહિતી મુજબ મૃત્યુ પામનારાની સંખ્યા 51 સુધી પહોંચી ગઈ છે.
મધ્ય પ્રદેશની બસ દુર્ઘટનામાં કુલ મૃતકાંક 51 થયો
મોડી રાત્રે આ મામલે પોલીસે બસ ડ્રાઈવરની કરી ધરપકડ
સીએમ શિવરાજ સિંહ ચૌહાણે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી
મંગળવાર રાત સુધીમાં 47 લોકોની ડેડબોડી મળી હતી, અને બુધવારે વધુ 4 લોકોની લાશ મળી હતી, જેમાં એક પાંચ મહિનાની છોકરીનું શવ પણ સામેલ હતું, જો કે હજુ પણ આ બસના ત્રણ મુસાફરોની કોઈ ભાળ મળી નથી, આ ત્રણ હજુ લાપતા છે.
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ઘટના સ્થળે પહોંચ્યા હતા
નોંધનિય છે કે આ ઘટના પછી મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણ સીધા ઘટના સ્થળે જ પહોંચ્યા હતા અને મૃતકોના આપ્તજનોને પોતાની સંવેદના પાઠવી હતી, આ સમયે એક પીડિત પરિવારે સીએમને અપીલ કરી હતી કે જો સડકજામ નહોત તો અમારા ઘરની મહિલાઓ અને બાળકો જીવિત હોત, જે મારી સાથે થયું તે બીજા સાથ ન થાય માટે મહેરબાની કરીને અહીં એક સડક બનાવડાવી આપો.
પોલીસે બસ ડ્રાઇવરની કરી ધરપકડ
પોલીસે રીવાના સિમરિયામાં રહેતા બસ ચાલક બાલેન્દ્ર વિશ્વકર્માની આ કેસમાં મોડી રાત્રે ધરપકડ કરી હતી. ડ્રાઈવરે પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું હતું કે આ અકસ્માતમાં તેનું એક ડ્રાઇવિંગ લાઇસન્સ વહી ગયું હતું જ્યારે કે બીજું લાઇસન્સ રીવામાં છે, અને વાહનના દસ્તાવેજો સતનામાં છે. આ પછી, બે ટીમો આ બંને જગ્યાએ આ ડોક્યુમેન્ટસને ક્લેક્ટ કરવા માટે મોકલી આપવામાં આવી હતી.
પોલીસ ડ્રાઇવર પાસેથી એ જાણવાની કોશિશ કરી રહી છે કે શું તે અગાઉ પણ બસને ઓવરલોડ કરીને ચલાવતો હતો કે કેમ? એએસપી અંજુલતા પટલેના જણાવ્યા અનુસાર, બસમાં કુલ 63 મુસાફરો હતા. અકસ્માત પૂર્વે આ ત્રણ મુસાફરો બસમાંથી નીચે ઉતર્યા હતા. તે જ સમયે, 60 માંથી છ મુસાફરોને બચાવી લેવાયા હતા.
ડ્રાઈવરે કહ્યું - બસ લપસી અને કેનાલમાં ચડી ગઈ
બસ ડ્રાઈવર બાલેંદુ કુશવાહાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં તે કહી રહ્યો છે કે ચાલતી બસમાં અચાનક અવાજ આવ્યો. આ પછી બસ લપસી ગઈ અને કેનાલમાં પડી ગઈ હતી. મેં કોઈક રીતે મારું જીવન બચાવી લીધું. મારી પાછળ એક છોકરી પણ હતી. તેણે બહાર નીકળવાનો પ્રયાસ પણ કર્યો. તે જ સમયે, ઉપરથી બે લોકોએ દોરડું ફેંક્યું હતું, જેનથી અમે બહાર નીકળી શક્યા હતા.