ભારત પોતાના નાગરિકોને ચીનનાં કોરોના વાયરસથી બચાવવા સતત કાર્યરત રહ્યું છે. ત્યારે તે પોતાના લોકોને ભારત લાવવામાં પણ સફળ રહ્યું છે. જોકે ભારત જાણી જોઈને પોતાના 6 વિદ્યાર્થીઓને ભારત નથી લાવ્યું. શું મજબૂરી હતી આપણી ક 6 વિદ્યાર્થીઓને વૃહાનમાં મુકીને પરત ફરવું પડ્યું છે.
6 લોકોને તાવની અસર દેખાતા ચીનમાં રોકી દેવાયા
6 ભારતીયોને ચીનમાં મેડીકલ ઓબર્ઝવેશનમાં રખાશે
વધુ તપાસ બાદ 6 ભારતીયને ભારત મોકલાશે
ચીનમાં કુલ 304 વ્યક્તિના મોત થયા છે
ચીનમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. કોરોના વાયરસનાં કારણે મૃત્યુઆંકમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના વાયરસના કારણે વધુ 45 વ્યક્તિના મોત થયા છે. તો અત્યાર સુધીમાં ચીનમાં કુલ 304 વ્યક્તિના મોત થયા છે. બીજી તરફ ચીનમાં ફસાયેલા 324 ભારતીયોને એર લીફ્ટ કરાયા છે. તેઓ ભારત પરત ફરી ચૂક્યા છે. હાલમાં તેમને મેડિકલ ઓબર્ઝવેશનમાં રાખવામાં આવ્યા છે.
આ 6 લોકો વુહાનમાં રહેતા હતા
104 લોકોને ITBP ચાવલા કેમ્પમાં અને 220 લોકોને માનેસરમાં રાખવામાં આવ્યા છે. જ્યારે 6 લોકોને તાવની અસર દેખાતા ચીનમાં રોકી દેવામાં આવ્યા છે. આ તમામ 6 ભારતીયોને ચીનમાં મેડિકલ ઓબર્ઝવેશનમાં રખાશે. આ 6 ભારતીઓને તાવની સારવાર કરાશે. તેમજ તેમને કોરાના વાયરસની અસર છે કે કેમ તેની પણ તપાસ કરાયા બાદ તેમને ભારત મોકલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ 6 લોકો વુહાનમાં રહેતા હતા.
ઉત્તરાખંડમાં શંકાસ્પદ કોરોના વાયરસનો કેસ નોંધાયો
કોરોના વાયરસનો ભારતમાં પણ શંકાસ્પદ કેસ નોંધાયો છે. ઉત્તરાખંડમાં શંકાસ્પદ કોરોના વાયરસનો કેસ નોંધાયો છે. એક મહિલામાં શંકાસ્પદ કોરોનાના લક્ષણો દેખાયા છે. આ મહિલા થોડા સમય પહેલા જ ચીનના વુહાનથી ભારત આવી હતી. ઉલ્લેખનીય છે કે કેરળમાં કોરોના વાયરસનો એક કેસ નોંધાયી ચૂક્યો છે.