બંગાળની ખાડીમાં સર્જાઈ મોટી દુર્ઘટના થઇ હોવાના સમાચારો પ્રાપ્ત થયા છે. આ ઘટના મામલે મળતી વધુ જાણકારી પ્રમાણે દરિયામાં 2 જહાજ સાથે 31 માછીમારો ડૂબ્યા છે. ખાડીમાં ડૂબનાર 2 લોન્ચ FB નયન અને FB દસભૂજા જહાજ હોવાનું પ્રાથમિક જાણકારીમાં પ્રાપ્ત થયેલ છે.
ઉલ્લેખનીય છે કે, ચાર દિવસ પહેલા ચેતવણી આપી હોવા છતાં બંગાળની ખાડીમાં ડૂબેલા 31 માછીમારો પૈકી 6 લોકોને બચાવવામાં સફળતા પ્રાપ્ત થયેલ છે. જો કે, અન્ય 25 લોકોની હજી સુધી કોઇપણ પ્રકારની ભાળ મેળવી શકાઇ નથી.
આપને જણાવી દઇએ કે, અચાનક હવમાન ખરાબ થતા 2 જહાજ દરિયામાં ડૂબ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ગત શનિવારના રોજ 13 માછીમારોને ભારત તથા બાંગ્લાદેશના નૌકાદળે બચાવી લીધા હતા. આ માછીમારો કાકદ્વીપ મહાસાગરમાં માછીમારી માટે ગયા હતા.