જામનગર જિલ્લાના કાલાવડ નજીક ધોરાજી રોડ પર ગોઝારો અકસ્માત થયો છે. પુરપાટ ઝડપે આવતી ઈકો કાર ટ્રક સાથે ધડાકાભેર અથડતાં છ લોકોના મોત થયા છે. આ સાથે ત્રણથી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
અકસ્માતમાં જામનગર વાઘેર પરિવારના છ સભ્યોના મોત
પરિવાર કામલશા પીરની દરગાહે દર્શન કરી પરત ફરતો હતો
ખીજડીયા ગામના લોકોની માનવતા મહેકી ઈજાગ્રસ્તોને બચાવવા દોડી આવ્યા
કાલાવડથી 20 કિમી દૂર ધોરાજી હાઈવે પર ભાવુભાના ખીજડીયા ગામ પાસે બપોરે કાર અને ટ્રક વચ્ચે ગોઝારા અકસ્માતની ઘટના બની. આ ઘટનામાં કારમાં બેસેલાં છ લોકોના મોત થયા છે અને હજુ ત્રણથી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા. આથી 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ અંગે જાણ થતાં નજીકના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઈજાગ્રસ્તોને જામકંડોરણા સારવાર અર્થે ખસેડાયા છે.
મુસાફરો કામલશા પીરની દરગાહના દર્શન કરી આવતાં હતા
જામનગરના બેડેશ્વર વિસ્તારમાં રહેતાં વાઘેર પરિવારને યમરજાએ એક પલગકારામાં લઈ લીધા. વાઘેર પરિવાર કામલશા પીરની દરગાહના દર્શનકરી પરત ફરી રહ્યા હતા.