આજે એટલે કે 2 સપ્ટેમ્બરને વિક્રમ લેંડર ચંદ્રયાન -2ના ઓર્બિટરથી અલગ થયું છે. બપોરે 1-16 મિનિટના સમયે આ સફળતા ઈસરોને મળી હતી. હવે પછી 3 સપ્ટેમ્બરે વિક્રમ લેંડર પોતાની નવી કક્ષામાં આવશે.
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)એ 1 સપ્ટેમ્બરની સાંજે 6.21ના સમયે ચંદ્રયાનને ચંદ્રમાની પાંચમી કક્ષામાં પ્રવેશ કરાવ્યું. હવે ચંદ્રયાન-2 ચંદ્રની ચારેતરફ 119 કિમીના એપોઝી અને 127 કીમીના પેરીઝીમાં આંટા મારશે. આજે 2 સપ્ટેમ્બરના રોજ વિક્રમ લેંડર ચંદ્રયાન-2ના ઓર્બિટરથી અલગ થયું છે. બપોરે 1.16 મિનિટના સમયે ઈસરો વૈજ્ઞાનિકઓએ કામને પૂરું પાડયું હતું. ચંદ્રયાન -2ના ઓર્બિટરથી અલગ થયા બાદ પણ લગભગ 20 કલાક સુધી વિક્રમ લેંડર ઓર્બિટરની પાછળ તેની કક્ષામાં આંટા મારશે. ચંદ્રયાન-2 3 ભાગથી બનેલું છે. પહેલું ઓર્બિટર, બીજું વિક્રમ લેંડર અને ત્રીજું પ્રજ્ઞાન રોવર. વિક્રમ લેંડરની અંદર પ્રજ્ઞાન રોવર છે જે સોફ્ટ લેન્ડિંગ બાદ બહાર નીકળશે.
3 સપ્ટેમ્બરે પહેલું ડીઓર્બિટ એટલે કે વિક્રમ લેંડર પોતાની કક્ષા બદલશે
3 સપ્ટેમ્બરે સવારે 9થી 10ની વચ્ચે વિક્રમ લેંડર ચંદ્રયાન -2 ઓર્બિટરને પાછળ છોડીને નવી કક્ષામાં જશે. તેને માટે ઇસરો વૈજ્ઞાનિક 3 સેકંડને માટે એન્જિન ઓન કરશે. આ પછી વિક્રમ લેંડર 109 કિમીની એપોઝી અને 120 કિમીની પેરીઝીમાં ચંદ્રની ચારેતરફ અંજાકાર કક્ષામાં આંટા મારશે.
4 સપ્ટેમ્બરે ચંદ્રની ચારે તરફ વિક્રમ અન્ય વખત બદલશે પોતાની કક્ષા
ઈસરો વૈજ્ઞાનિક વિક્રમ લેંડરને આ દિવસે ચંદ્રની સૌથી નજીકની કક્ષામાં પહોંચાડશે. આ કક્ષાની એપોઝી 36 કિમી અને પેરોઝી 110 કિમી હશે. આવનારા 3 દિવસો સુધી વિક્ર્મ લેંડર આ જ અંડાકાર કક્ષામાં ચંદ્રના આંટા મારશે. આ સમયે ઈસરો વૈજ્ઞાનિક વિક્રમ લેંડર અને પ્રજ્ઞાન રોવરની તપાસ કરતા રહેશે.
7 સપ્ટેમ્બર હશે ખાસ દિવસ, ચંદ્ર પર ઉતરશે વિક્રમ લેંડર
6-7 સપ્ટેમ્બરની મધ્ય રાત્રે 1.40 કલાકે લેંડર ચંદ્ર પર ઉતરવાનું શરૂ થશે અને 15 મિનિટમાં 1.55 કલાકે વિક્રમ લેંડર ચંદ્રના સાઉથ પોલ પર બે ક્રેટર મેન્જિનસ સી અને સિંપ્લીયસ એન વચ્ચે ઉતરશે.
લેન્ડિંગના બે કલાક (3.55 કલાક) પછી લેંડરથી રેમ્પ બહાર નીકળશે.
5.05 કલાકે રોઅરના સોલર પેનલ ખુલશે.
7 સપ્ટેમ્બરે સવારે 5.10 કલાકે ચાલવાનું શરૂ થશે.
45 મિનિટ પછી 5.55 કલાકે રોઅર ચંદ્ર પર ઉતરી જશે.
રોઅર ચંદ્ર પર ઉતરતાની સાથે તે લેંડર અને લેંડર રોઅરની સેલ્ફી લેશે.
જે તે દિવસે 11 વાગ્યાની આસપાસ મળી રહેશે.
14 દિવસ સુધી યાત્રા કરશે અને આ સમયે તે 500 મીટર દૂર સુધીનું અંતર કાપી લેશે.
20 ઓગસ્ટે ગતિ ઓથી કરીને ચંદ્રની કક્ષામાં પહોંચાડવામાં આવશે ચંદ્રયાન-2
ઈસરોના વૈજ્ઞાનિક 20 ઓગસ્ટ મંગળવારે ચંદ્રયાન-2ને ચંદ્રની પહેલી કક્ષામાં સફળતાપૂર્વક પહોંચાડ્યું હતું. આ સમયે તેની ગતિ 10.98 કિમી પ્રતિ સેકંડથી ઘટાડીને 1.98 કિમી પ્રતિ સેકંડ કરવામાં આવી હતી. ચંદ્રયાન-2ની ગતિમાં 90 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. વૈજ્ઞાનિકોએ કુશળતા અને સાવચેતી સાથે તે દિવસે ચંદ્રયાન-2ને ચંદ્રની કક્ષા સુધી પહોંચાડ્યું હતું.