સીવાનઃ બિહારનાં સીવાન જિલ્લામાં બદમાશોએ જનતા દળ યુનાઇટેડ (જેડીયૂ)નાં દિવંગત નેતા સુરેન્દ્ર પટેલનાં દીકરાની હત્યા કરી નાખી છે. બદમાશોએ બુધવારનાં રાત્રીએ રાહુલ કુમારનું અપહરણ કરી લીધું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાહુલને છોડવાને બદલે 50 લાખ રૂપિયાની રકમની માંગ કરવામાં આવી હતી.
સીવાનનાં એએસપી કે.કે મિશ્રાનું કહેવું એમ છે કે પોલીસ સમગ્ર મામલની તપાસ કરી રહી છે. તેઓએ જણાવ્યું કે, "આ મામલામાં ચાર લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. તેઓની હાલમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ આગળ વધુમાં તપાસ કરી રહી છે.
એવું જણાવવામાં આવી રહ્યું છે કે ગુનેગારોએ હત્યાને અંજામ આપતા પહેલાં રાહુલની આંખો ફોડી નાખી હતી. આ ઘટના બાદ લાશને એક તળાવમાં ફેંકી દેવામાં આવી. રાહુલ કેન્દ્રીય વિદ્યાલયનો વિદ્યાર્થી હતો. પોલીસે ગુરૂવારનાં રોજ સવારનાં તળાવમાંથી રાહુલનો મૃતદેહ જપ્ત કર્યો હતો. આ પહેલાં રાહુલનાં પિતા જેડીયૂ નેતા સુરેન્દ્ર પટેલની પણ ફેબ્રુઆરી 2006માં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. તેઓ એન્જીનિયર હતાં.
પકડી મોડની આસપાસ અપહરણ બાદ બદમાશોએ રાહુલનાં પરિવારજન પાસે ખંડણીની માંગણી કરી હતી. પોલીસને પરિવારજનોએ આ સમગ્ર ઘટનાની વિગતથી જાણકારી આપી, જ્યાર બાદ એસપી નવીન ચંદ્ર ઝા પકડી મોડ પહોંચ્યાં હતાં. એવામાં રાહુલની લાશને સદર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહેલ છે.