અગ્નિપથ યોજનાને લઈને દેશના ઘણા ભાગોમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. શુક્રવારે સવારે બિહારના સમસ્તીપુર અને લખીસરાયમાં યુવકોએ ટ્રેનોમાં આગ લગાવી દીધી હતી.
અગ્નિપથ યોજનાને લઈને શુક્રવારે પણ વિરોધ પ્રદર્શન યથાવત
સમસ્તીપુર અને લખીસરાયમાં યુવકોએ ટ્રેનોમાં આગ લગાવી
બિહિયામાં ભારે હોબાળો રેલવે ટ્રેક જામ થયો
અગ્નિપથ યોજનાને લઈને શુક્રવારે પણ વિરોધ પ્રદર્શન યથાવત
અગ્નિપથ યોજનાને લઈને યુવાનો દ્વારા વિરોધ પ્રદર્શન શુક્રવારે પણ ચાલુ રાખવામાં આવ્યું હતું. શુક્રવારે સવારે બિહારના સમસ્તીપુર અને લખીસરાયમાં યુવકોએ ટ્રેનોમાં આગ લગાવી દીધી હતી. યુવાનોના ટોળાએ અનેક એસી કોચને આગ ચાંપી દીધી હતી. બીજી તરફ આજે સવારે ઉત્તર પ્રદેશના બલિયા રેલવે સ્ટેશન પર યુવાનોએ તોડફોડ કરી હતી. તમને જણાવી દઈએ કે, ગુરુવારે પણ અગ્નિપથ યોજના સામે અનેક રાજ્યોના યુવાનોમાં ઉકળાટ જોવા મળ્યો હતો. ઘણી જગ્યાએ આગચંપી થઈ, રેલ અને રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. આ યોજનાના વિરોધમાં ઉત્તર પ્રદેશના બલિયામાં યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા.
Bihar: Agitating against #AgnipathRecruitmentScheme, protesters set a train ablaze at Luckeesarai Junction.
"They were stopping me from shooting a video & even snatched away my phone. 4-5 compartments affected. Passengers alighted & managed to proceed on their own," Police say. pic.twitter.com/bcxUchBpXy
બક્સરના બિહિયા પોલીસ સ્ટેશનના ASI રામ સ્વરૂપે જણાવ્યું હતું કે હંગામો અને હિંસા કરનારા મોટાભાગના લોકો શહેરના હતા. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે. શહેરના લોકોએ સૌથી વધુ ભાગ લીધો. એવું લાગતું હતું કે બધાને નોકરી પર રાખવામાં આવ્યા છે. આ હિંસામાં ASI રામ સ્વરૂપની સાથે અન્ય બે રેલવે કર્મચારીઓ ઘાયલ થયા હતા.
વિપક્ષો પહેલા ખેડૂતોને ભડકાવ્યા અને હવે યુવકોને ભડકાવી રહ્યાં છે
તો બીજી તરફ કેન્દ્ર સરકારની આ નવી યોજનાએ રાજકીય પક્ષોનો વિરોધ પણ શરૂ કરી દીધો છે. પોતાના બચાવમાં યુપીના મંત્રી સ્વતંત્ર દેવ સિંહે કહ્યું કે વિપક્ષે પહેલા ખેડૂતોને ભડકાવ્યા અને હવે તે યુવકોને ભડકાવી રહ્યા છે
આરામાં થઈ હતી તોડફડ કરવામાં આવી હતી.
અગ્નિપથ યોજનાના વિરોધમાં ગઈ કાલે આરા રેલવે સ્ટેશન પર તોડફોડ કરવામાં આવી હતી જેમાં પોલીસે 16 બદમાશોની ધરપકડ કરી છે. આ મામલે પોલીસે 650થી વધુ અજાણ્યા લોકો સામે ગુનો નોંધ્યો છે.
आज सुबह से रेलवे ट्रैक पर पुलिस बल तैनात हैं। यहां कुछ उपद्रवी लड़के आए थे लेकिन उन्हें ज्यादा नुकसान करने से रोक दिया गया है। उन्होंने पत्थरबाजी का प्रयास भी किया था लेकिन उनको हमने विफल कर दिया है: युवाओं द्वारा 'अग्निपथ' योजना के खिलाफ प्रदर्शन पर DM सौम्या अग्रवाल, बलिया pic.twitter.com/kOmDpcvkvA
બિહિયા રેલવે સ્ટેશન પર યુવકોએ ઉગ્ર વિરોધ કર્યો અને રેલવે ટ્રેક જામ કરી દીધો. વિદ્યાર્થીઓ અપ-ડાઉન લાઈન પર બેસીનેઆ યોજના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા હંગામાને કારણે અનેક ટ્રેનો ખોરવાઈ ગઈ હોવાની માહિતી મળી હતી.
બક્સરમાં હોબાળો
બક્સરમાં શુક્રવારે સવારે યુવકો ડુમરાવ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. ટોળાએ રેલવે ટ્રેક પર ટાયરો સળગાવી વિરોધ નોંધાવ્યો હતો. યુવાનોના વિરોધને ધ્યાનમાં રાખીને ડુમરાવ સ્ટેશનના આગામી અને અગાઉના રેલવે સ્ટેશન પર અનેક ટ્રેનો બંધ કરીદેવામાં આવી છે. આ સમય દરમિયાન યુવાનોએ કહ્યું કે કેન્દ્ર સરકારે આ યોજના પાછી ખેંચી લેવી જોઈએ.
#WATCH बिहार: प्रदर्शनकारियों ने अग्निपथ योजना के विरोध में लक्खीसराय जंक्शन पर एक ट्रेन में आग लगा दी।
पुलिस ने बताया, "4-5 डिब्बों में आग लगी है, उन लोगों ने मुझे भी वीडियो बनने से मना कर दिया और मेरा फोन छीन लिया।" pic.twitter.com/aP16fYuEb5
ખગડિયામાં રોડ અને રેલવે ટ્રેક જામ, કોસી એક્સપ્રેસ બંધ
ખગડિયા જિલ્લામાં યુવાનોએ રસ્તો અને રેલવે માર્ગને બ્લોક કરી દીધો હતો. યુવાનો ખગડિયા રેલ્વે સ્ટેશન પહોંચ્યા હતા અને કોસી એક્સપ્રેસ ટ્રેનને અટકાવી હતી. ઘણી ટ્રેનોને અસર થઈ છે. વિરોધને કારણે માનસી-સહરસા અને માનસી-કટિહાર રેલવિભાગ ખોરવાઈ ગયા છે.
બિહાર સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ પર પથ્થરમારો
યુવકોએ સમસ્તીપુરમાં બિહાર સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ ટ્રેનને રોકીને ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો. બીજી તરફ ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદમાં યુવકો દ્વારા બસોમાં તોડફોડ કરવામાં આવી હતી અને પોલીસ ઘટના સ્થળે હાજર છે. ફિરોઝાબાદ જિલ્લાના મઠસેનામાં શુક્રવારે સવારે પાંચ વાગ્યાની આસપાસ આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર યુવકોએ કેટલીક બસોમાં તોડફોડ કરી હતી. હાલ આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર વાહન વ્યવહાર ચાલું છે.