રાહુલ ગાંધીએ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની તુલના રશિયા-યુક્રેન યુદ્ધ સાથે કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ચીન દેશની સરહદ પર બેઠું છે, પરંતુ સરકાર વાત કરવા તૈયાર નથી.
રાહુલ ગાંધી મોદી સરકાર પર આકરાં શાબ્દીક પ્રહાર કર્યા
રાહલુ બોલ્યા ચીન પર મોદી સરકાર વાતચીત કરવા તૈયાર નથી
ચીન અને ભારતના સંઘર્ષ રશિયા-યુક્રેન સાથે સરખાવ્યો
Democracy in India is a global public good. We're the only people who have managed democracy at our unparalleled scale.
રાહુલ ગાંધી મોદી સરકાર પર આકરાં શાબ્દીક પ્રહાર કર્યા
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચીન સાથે ચાલી રહેલા સંઘર્ષને લઈને ફરી એક વાર મોદી સરકાર પર આકરાં પ્રહાર કર્યા છે. લંડનમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લેવા પહોંચેલા રાહુલ ગાંધીને બજેપી પર ઘણા શાબ્દીક પ્રહારો કર્યા હતાં. રાહુલ ગાંધીએ ઘણા મુદ્દાઓ પર વિસ્તારથી વાત કરી હતી. પરંતુ સૌથી ચર્ચિત મુદ્દો ચીનની બોર્ડર સાથે ચાલી રહેલા સંઘર્ષનો રહ્યો હતો.
China builds 1st bridge on Pangong
GOI: We are monitoring the situation.
China builds 2nd bridge on Pangong
GOI: We are monitoring the situation.
India’s National security & territorial integrity is non-negotiable. A timid & docile response won’t do. PM must defend the Nation.
રશિયા-યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ તેની સમાંતર ભારત-ચીન સાથેની વાત કહી. તેમણે કહ્યું કે પુતિન કહી રહ્યા છે કે હું તેમના બે જિલ્લાઓ પર હુમલો કરીશ કારણ કે તેઓ કોઈપણ કિંમતે નાટો કે અમેરિકા સાથે હાથ મિલાવી શકે તેમ નથી. હવે આપ અહીં સમાંતર સમજો કે, યુક્રેનમાં શું થઈ રહ્યું છે. લદ્દાખમાં શું થઈ રહ્યું છે. કોંગ્રેસના નેતાની નજરોમાં જે રીતે રશિયાએ યુક્રેન પર હુમલો કરી રહ્યો છે. અને તેમની ઘરતી પર કબ્જો કરવા માટે પ્રયાસ કરી રહી છે. ચીન પણ તેવી જ ફિરાકમાં છે. ચીનની નજરોમાં ભારત સરકાર આ મુદ્દા પર વાતચીત કરવા નથી માંગતી. કોઈ મંથન નથી થઈ રહ્યું. ચીન, ભારતની જમીન પર બેઠેલું છે. આવું જ કાંઈ કેટલું યુક્રેનમાં દેખાઈ રહ્યું છે
ચીન સિવાય રાહુલ ગાંધીએ ભારતની વર્તમાન રાજનીતિ પર પણ કટાક્ષ કર્યો હતો
રાહુલ ગાંધીએ ભાર આપીને કહ્યું હતું કે, ભારતને આ જટિલ પરિસ્થિતિથી બહાર આવવું પડશે. માત્ર ઉપર છલ્લું વિચારીને કશું નહીં થાય. ચીન સિવાય રાહુલ ગાંધીએ ભારતની વર્તમાન રાજનીતિ પર પણ વિસ્તારથી વાત કરી હતી. જ્યારે રાહુલ સામે લોકતંત્રને લઈને સવાલો પુછવામાં આવ્યાં ત્યારે તેમણે કહ્યું કે, હવે દરેક સંસ્થાઓ પર સરકારનો કબ્જો થઈ ગયો છે.દરેક સંસ્થા પર હુમલો કરવામાં આવી રહ્યો છે. રાહલુ ગાંધી સાથે વાચીત દરમિયાન કોંગ્રેસના નેતા બીજેપી-સંઘની વિચારધારા પર હુમલો કર્યો હતો.તેમની માનીએ તો બીજેપી અને સંઘ તો ભારતને એક ભૂગોળની જેમ જોવે થે. પરંતુ કોંગ્રેસ માટે ભારત લોકોથી બને છે. રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આરોપ લગાવ્યા છે.