દિલ્હીમાં શરુ થયેલું હિંસાનું તાંડવ કોઈ સામાન્ય ઘટના નથી. એક એવી ઘટના છે જેનાથી નાનામાં નાની એજન્સીથી લઈને પ્રધાનમંત્રી કાર્યાલય સુધી તમામ લોકો હચમચી ગયા છે. કેન્દ્રીય એજન્સીએ દિલ્હીની હિંસાનો રિપોર્ટ આપ્યો. આ રિપોર્ટ લોકોની હચમચાવી દેનારો છે. એવું તો શું છે રિપોર્ટમાં...
અસામાજીક તત્વો હિંસા કરતા રહ્યા તેમને રોકવા કોઈ ન પહોંચ્યું
પોલીસ ઓફિસરોએ સ્થિતિ પર નિયંત્રણ કરવા માટે 75 કંપનીઓ માંગી હતી
વાયરલ મેસેજને કારણે તેમનું દુસ્સાહસ વધી રહ્યું હતુ
આ રિપોર્ટ પછી બધાની ઉંઘ ઉડી ગઈ છે
દિલ્હીની હિંસામાં એ સ્તરે વધી ગઈ હતી કે તે નજરે જોનારાના રુવાંટા ઉભા થઈ ગયા છે. સત્રોના જણાવ્યાનુંસાર બે દિવસમાં હિંસા એ સ્તરે વધી ગઈ હતી કે બસ લોકોના ઘરમાં ઘૂસીને મારવાનું બાકી હતું. જો પોલીસ ઘટના સ્થળે એક કલાક વધારે મોડી પહોંચતી તો હાલત એટલી ખરાબ હોત કે તેને વર્ણવી બહું મુશ્કેલ થઈ જાત. આ રિપોર્ટ પછી બધાની ઉંઘ ઉડી ગઈ છે.
અસામાજીક તત્વો હિંસા કરતા રહ્યા તેમને રોકવા કોઈ ન પહોંચ્યું
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લોકો એક બીજા પર એવી રીતે હુમલો કરી રહ્યા હતા કે બન્ને એકબીજાના દુશ્મન હોય. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એવો સંકેત આપ્યો હતો કે આ વિસ્તારમાં પોલીસ પુરતી નથી. જેના કારણે અસામાજીક તત્વો હિંસા કરતા રહ્યા તેમને રોકવા કોઈ ન પહોંચ્યું.
પોલીસ ઓફિસરોએ સ્થિતિ પર નિયંત્રણ કરવા માટે 75 કંપનીઓ માંગી હતી
દિલ્હી પોલીસના એક જોઈન્ટ સીપીએ હિંસાને જોતા સુરક્ષા દળોની ઓછામાં ઓછી 75 કંપનીઓની માંગણી કરી હતી. આ વાતને દિલ્હી સરકાર પણ જાણતી હતી. જાફરાબાદ, મૌજપુર અને ભજનપુરા સહિત કેટલાય વિસ્તારમાં નાગરિક્તા સંશોધન કાયદાની વિરુદ્ધ ચાલી રહેલા પ્રદર્શન જ્યારે હિંસક થઈ ગયા ત્યારે પોલીસ ઓફિસરોએ સ્થિતિ પર નિયંત્રણ કરવા માટે 75 કંપનીઓ માંગી હતી.
વાયરલ મેસેજને કારણે તેમનું દુસ્સાહસ વધી રહ્યું હતુ
આ વિસ્તારમાં જ્યારે હાલત વધારે ખરાબ થઈ ત્યારે 15 કંપનીઓને મોકલવામાં આવી હતી. આ કંપનીઓની સરખામણીએ અસામાજિક તત્વોની સંખ્યા હજારોમાં હતી. સોશિયલ મીડિયામાં હિંસા વધારેવાના વાયરલ મેસેજને કારણે તેમનું દુસ્સાહસ વધી રહ્યું હતુ. સોશિયલ મીડિયામાં કોણ ક્યાં મેટ્રો સ્ટેશન પર પહોંચી રહ્યું છે તેવું પોસ્ટ થવા લાગ્યું હતું.
અસામાજિક તત્વો લોકોને ઘરમાં ઘૂસીને મારશે
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યાનુંસાર ભજનપુરા, ચાંદબાગ, જાફરાબાદ, ગોકુલપુરી, મૌજપુર, બાબરપુર અને બીજા વિસ્તારમાં તો એક એવી પરિસ્થિતી ઉભી થઈ ગઈ કે આ અસામાજિક તત્વો લોકોને ઘરમાં ઘૂસીને મારશે. પરિસ્થિતિ બિલકુલ એવી જ હતી.