પંજાબના ખ્યાતનામ સિંગર અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મૂસેવાલાની હત્યાની તપાસમાં ધરપકડ કરાયેલા આરોપીએ મોટા ખુલાસા કર્યા છે, જે બાદ સીએમ ભગવંત માને મોટા આદેશ આપી દીધા છે.
પંજાબ સિંગરની હત્યા કેસમાં મોટા ખુલાસા
સીએમ ભગવંત માને આપ્યા આદેશ
સિંગરના પિતાએ કરી હતી આ માગ
પંજાબના ખ્યાતનામ સિંગર અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મૂસેવાલાની હત્યાની તપાસ માટે તેમના પિતાની માગને લઈને મુખ્યમંત્રી ભગવંત માને મોટી જાહેરાત કરી છે. આ કેસની તપાસ હાઈકોર્ટના સિટિંગ જજ દ્વારા કરવામાં આવશે. તેમણે કહ્યું કે, કોઈ પણ દોષિત વ્યક્તિને છોડવામાં નહીં આવે. સાથે જ સીએમ માને સિદ્ધુ મૂસેવાલાની સુરક્ષા ઘટાડવાના કેસની તપાસના પણ આદેશ આપ્યા છે. તેમણે ડીજીપીએ આપેલા કાલના નિવેદન પર સ્પષ્ટતા માગી છે. તેમણે કહ્યું છે કે, રાજ્ય સરકાર તપાસમાં પુરે પુરો સહયોગ આપશે.
#WATCH | Forensic team investigates Punjabi singer Sidhu Moose Wala's car at Punjab's Mansa Police Station. pic.twitter.com/zA5GV7PCQI
સિંગરના પિતાએ કરી હતી આ માગ, સીએમ ભગવંત માને આપ્યા આદેશ
મુખ્યમંત્રી કાર્યાલયે જણાવ્યું છે કે, પંજાબ સરકાર, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને ભલામણ કરશે કે, આ કેસની તપાસ હાઈકોર્ટના સિટિંગ જજ દ્વારા કરાવે. બલકૌર સિંહે (સિદ્ધુ મૂસેવાલાના પિતા) પોતાના પુત્રની હત્યાને ગેંગવોર સાથે જોડવા માટે પંજાબના ડીજીપીને સાર્વજનિક રીતે માફી માગવાની માગ પણ કરી છે. પુત્રની હત્યાને ગેંગવોર સાથે જોડવું યોગ્ય નથી. પોતાના પત્રમાં લખ્યું છે કે, રાજ્ય સરકારની નિષ્ફળતાના કારણે મારા પુત્રનું મોત થયું.
Punjab CM Bhagwant Mann orders an inquiry into the decision to reduce security of Sidhu Moose Wala. He has also sought clarification on DGP's yesterday's statement. State govt will fully cooperate in the investigation, no culprit will be spared: Chief Minister's Office
આ બાજૂ સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. આ કેસમાં ધરપકડ કરાયેલા એક આરોપીએ મોટો દાવો કર્યો છે. ધરપકડ આરોપી શાહરુખે સ્પેશિયલ સેલને જણાવ્યું હતું કે, સિદ્ધુ મૂસેવાલાએ મારવા માટે સોપારી તેને ગેંગસ્ટર ગોલ્ડી બરાડ અને લોરેંસ બિશ્નોઈ તરફથી આપવામાં આવી હતી. તેમણે પહેલા પણ સિદ્ધુને મારવાની કોશિશ કરી હતી, પણ સુરક્ષાકર્મીઓને જોતા પાછા ફરી જતાં હતા.
પૂછપરછમાં શાહરુખે કુલ 8 નામ જણાવ્યા છે. જેના પર હત્યામાં મદદ કરવાનો આરોપ લાગ્યો છે. તેમાં પંજાબી સિંગર મનકીરત ઔલખના મેનેજરનું નામ પણ સામેલ છે. જ્યારે મર્ડરની સોપારી ગોલ્ડી બરાડ અને લોરેન્સ બિશ્નોઈએ આપી હતી.
આ 8 નામો સામે આવ્યા
ગોલ્ડી બરાડ
લોરેન્સ બિશ્નોઈ
સચિન (મનકીરત ઔલખનો મેનેજર)
જગ્મૂ ભગવાનપુરિયા
અમિત કાજલા
સોનૂ કાજલ અને બિટ્ટૂ (હરિયાણા)
સતેંદર કાલા (ફરીદાબાદ)
અજય ગીલ
સિદ્ધુ મૂસેવાલાની રવિવારે ગોળી મારીને હત્યા થઈ
પંજાબના ગાયક સિદ્ધુ મૂસેવાલાની રવિવારે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. માણસાના જવાહર ગામ પાસે મૂસેવાલા પર ફાયરિંગ થયું હતું. આ ઘટના બાદ મૂસેવાલાને ગંભીર હાલતમાં માણસાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. આ ઘટનામાં મૂસેવાલા સાથે રહેલા અન્ય બે લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.જણાવવામાં આવી રહ્યું છે કે મૂસેવાલાને ગુંડાઓ તરફથી ધમકીઓ મળી હતી. આમ છતાં પંજાબની આમ આદમી પાર્ટીની સરકારે કાયદો અને વ્યવસ્થાનો હવાલો આપીને એક દિવસ પહેલા મુસેવાલા સહિત 424 વીઆઇપીની સુરક્ષા પાછી ખેંચી લીધી હતી. મૂસેવાલાએ પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર આમ આદમી પાર્ટીના વિજય સિંગલા સામે પણ ચૂંટણી લડી હતી. વિજય સિંગલાએ માણસા બેઠક પરથી મુસેવાલાને 63,323 મતોથી હરાવ્યા હતા.
કોણ હતા મૂસેવાલા
17 જૂન, 1993ના રોજ જન્મેલા શુભદીપ સિંહ સિદ્ધુ ઉર્ફે સિદ્ધુ મૂસેવાલા મનસા જિલ્લાના મુસા વાલા ગામના રહેવાસી હતા. મૂસેવાલાની ફેન ફોલોઇંગ લાખોમાં છે અને તે તેના ગેંગસ્ટર રેપ માટે લોકપ્રિય હતો. સિદ્ધુ મૂસેવાલાની માતા ગામની સરપંચ હતી. તેમણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી. તેમણે કોલેજના દિવસોમાં સંગીત શીખ્યું અને બાદમાં કેનેડા ચાલ્યા ગયા. મૂસેવાલાને સૌથી વિવાદાસ્પદ પંજાબી ગાયકોમાંના એક તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમણે ખુલ્લેઆમ બંદૂક કલ્ચરને પ્રોત્સાહન આપ્યું હતું, ઉશ્કેરણીજનક ગીતોમાં ગુંડાઓનો મહિમા વધાર્યો હતો. સપ્ટેમ્બર 2019માં રિલીઝ થયેલું તેમનું ગીત 'જટ્ટી જિયોને મોર્ડ દી ગન વર્ગી' એ 18મી સદીના શીખ યોદ્ધા માઇ ભાગોના સંદર્ભમાં વિવાદ ઉભો કર્યો હતો. તેમના પર આ શીખ યોદ્ધાની છબી ખરાબ કરવાનો આરોપ હતો. જો કે બાદમાં મુસેવાલાએ માફી માંગી હતી.