ચેન્નઈમાં એક કાર્યક્રમને સંબોધિત કરતાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે બેંકને પોતાની સ્થિતિનો ખ્યાલ હોવો જરૂરી છે. જો તેઓએ પોતાના કારોબારનો વિસ્તાર કરવો છે તો પહેલાં પોતાની ક્ષમતા અને નબળાઈઓને જાણી લેવી જરૂરી છે.
બેંકના નામ પર સંશય ઉદ્ભવ્યો છેઃ નિર્મલા સીતારમણ
બેંક લોન આપતી સમયે ધ્યાન રાખી લો આ વાતોઃ સીતારમણ
બેંકની વધારે બ્રાન્ચથી બેંકને થઈ શકે છે નુકશાન
તમિલનાડુમાં સિટી યૂનિયન બેંકના 116મા સ્થાપના દિવસના અવસરે નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બેંકોને સંબોધન કરીને કહ્યું હતું કે જો બેંકોએ પોતાના કારોબારનો વિસ્તાર કરવો છે તો પહેલાં પોતાની ક્ષમતા અને નબળાઈઓને જાણી લેવી જરૂરી છે. તેનાથી તેમને અંદાજ આવશે કે તેઓ કેટલા મજબૂત છે અને સાથે જ ધીરે ધીરે તેઓ પોતાના વિસ્તાર પણ કરશે.
બેંકના નામ પર સંશય ઉદ્ભવ્યો છેઃ નિર્મલા સીતારમણ
નિર્મલા સીતારમણે કહ્યું છે કે બેંકોની વચ્ચે એક હોડ જામી છે. જેમાં તે પોતાનો કારોબાર ઝડપથી વધારી રહી છે અને સાથે જ આખા દેશમાં પોતાની શાખાઓ ખોલી રહી છે. પોતાના અધિક વિસ્તાર કરી લેવો પણ હાનિકારક હોઈ શકે છે. નાણાંમંત્રીએ તો એમ પણ કહ્યું કે આજકાલ લોકોને બેંકના નામથી ભય લાગે છે. બેંકે ધ્યાનમાં રાખવું જોઈએ કે તેમના કર્મચારીની નાની ભૂલ પણ તેમના કામ પર પ્રશ્નો સર્જી શકે છે.
બેંકને થઈ શકે છે આર્થિક નુકસાન
છેલ્લા કેટલાક વર્ષોમાં બેંકિંગ સેન્ટરમાં એવી અનેક ઘટનાઓ બની રહી છે જેના કારણે બેંકને આર્થિક નુકસાન તો થાય છે અને સાથે જ તેની ઈમેજ પણ ખરાબ થઈ રહી છે. અનેક બેંકને મોટું નુકશાન પણ થયું છે. જેના કારણે તેઓ વધારે લોન પણ આપી શકતી નથી. આરબીઆઈના ગર્વનરે પણ જણાવ્યું હતું કે બેંકોએ પારદર્શિતા રાખવી જરૂરી છે. બૈડ લોન કે ફ્રોડ જેવી ઘટનાઓને વિશે જણાવવું જોઈએ. તમે જેટલું છૂપાવશો તેટલા જ નબળા બનશો અને તમારી ક્ષમતા પર પણ અસર થશે.
આ કારણે થયું હતું બેંકોનું વિલિનીકરણ
બેંકને મજબૂત કરવા માટે ઓગસ્ટ મહીનામાં સરકારને દેશની 10 સરકારી બેંકોના વિલય કરવામાં આવ્યા હતા. 6 નાની બેંકોના 4 મોટા બેંકોમાં વિલય કરવામાં આવ્યો હતો. તેનાથી બેંકોનો આકાર વધ્યો અને લોન વહેંચણીની ક્ષમતા પણ વધી. બેંકનો આકાર મોટો થયો તેમ બેંકોનું રિસ્ક પણ વધી રહ્યું છે. જો બેંકની બ્રાન્ચ ઓછી હશે તો તેની ઓપરેશનલ કોસ્ટ પણ ઓછી આવશે.