કોરોનામાં અનાથ બનેલી અને તાજેતરમાં જ ધોરણ 10ની પરીક્ષામાં પહેલા નંબરે આવેલી ભોપાલની વનિશાની એક મોટી સમસ્યા નાણામંત્રી નિર્મલા સીતારામણે ચપટીમાં ઉકેલી નાખી હતી.
ભોપાલની 15 વર્ષીય છોકરી વનિશા પાઠકને મળી એલઆઈસીની નોટીસ
નોટીસમાં કહેવાયું નિયત સમયમાં 29 લાખ ચુકવો
નાણા મંત્રી નિર્મલા સીતારામણને પડી ખબર
તાત્કાલિક એલઆઈસી અને નાણા વિભાગને આપ્યો ઓર્ડર
વનિશાને મદદ પહોંચાડો
મધ્યપ્રદેશના ભોપાલમાં, 10માં ટોપર વનિશા પાઠકને મળેલી LICની કાનૂની નોટિસના મુદ્દે હંગામો વધી રહ્યો છે. હવે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતે આ મામલે ટ્વીટ કર્યું છે. તેમણે LIC અને નાણાકીય સેવાઓ વિભાગને આ કેસ તાકીદના ધોરણે ધ્યાન પર લઈને ઘટતું કરવાનો આદેશ આપ્યો છે.
કોરોનામાં અનાથ બનેલી વનિશાને 29 લાખ ચુકવવાની મળી હતી નોટીસ
ભોપાલની રહેવાસી વનિશા પાઠકે કોરોનાની બીજી લહેર માતા-પિતાને ગુમાવ્યા હતા. વનિશાના પિતા એલઆઈસી એજન્ટ હતા. તેમણે ઓફિસમાંથી હોમ લોન લીધી હતી, પરંતુ લોન ચૂકવતા પહેલા મે 2021માં તેમનું અને તેમની પત્નીનું કોરોનાથી મૃત્યુ થયું હતું. આવી કરુણ સ્થિતિની વચ્ચે પણ વનિશા હિંમત હારી નહોતી અને તેણે પોતાની અને નાના ભાઈની કાળજી લીધી હતી તે પરિસ્થિતિ સામે લડી ખૂબ લડી અને મન મૂકીને ધોરણ 10ની બોર્ડની પરીક્ષાની તૈયારીમાં લાગી અને તેને તેનુ પરિણામ મળ્યું. મેટ્રિક બોર્ડની પરીક્ષામાં 99.8 ટકા મેળવીને વનિશા ટોપર બની હતી.
નાણામંત્રીએ કેસ હાથમાં લેતા LICનો સૂર બદલાયો, કહ્યું- હવે કોઈ નોટીસ નહીં
વનિશા જ્યારે પરિસ્થિતિ સામે હિંમતથી લડી રહી હતી બરાબાર ત્યારે તેને LIC તરફથી બાકી રકમની ચુકવણી માટે નોટિસ મળી. તેણે કહ્યું કે તેને 29 લાખ રૂપિયા ચૂકવવા માટે 2 ફેબ્રુઆરી 2022ના રોજ છેલ્લી કાનૂની નોટિસ મળી હતી. વનિશાના કહેવા પ્રમાણે, તે સગીર છે, તેથી LICએ તેની બધી બચત અને દર મહિને મળતું કમિશન બંધ કરી દીધું. વનિશાએ જણાવ્યું કે તેણે ઘણી વખત અધિકારીઓને લોન ચૂકવવા માટે સમય આપવા માટે પત્ર લખ્યો હતો, કારણ કે તે 17 વર્ષની છે પરંતુ તેને કોઈ જવાબ મળ્યો નથી. LIC અધિકારીએ કહ્યું કે વનિશાને જ્યાં સુધી તે 18 વર્ષની નહીં થાય ત્યાં સુધી કોઈ નોટિસ નહીં મળે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે ટ્વીટ કરીને આ વાત કહી
વનિશાનો કેસ ધ્યાનમાં આવતા નાણામંત્રી સીતારામણે ત્વરિત કાર્યવાહી કરી હતી અને તેમણે ટ્વિટ કરીને એલઆઈસી અને નાણાકીય સેવાઓ વિભાગને આ મામલાની તપાસ કરીને જરુરી મદદ પૂરી પાડવાનો આદેશ આપ્યો હતો.
ભોપાલના કલેક્ટર પણ વનિષાની મદદ માટે આગળ આવ્યા
ભોપાલના કલેક્ટર અવિનાશ લાવાનિયાએ પણ પરિવાર સાથે વાત કરી અને તેમને ખાતરી આપી કે વહીવટીતંત્ર એલઆઈસી અધિકારીઓ સાથે 17 વર્ષીય છોકરીની મદદ કરશે.