સુપ્રીમ કોર્ટ દ્વારા છેતરપિંડીના કેસમાં જેલમાં બંધ સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન આજ રોજ સીતાપુરથી જેલમાંથી બહાર આવી ગયા છે. 27 મહિનાથી જેલમાં રહેલા આઝમ ખાનને ગુરુવારે સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યા હતા. સુપ્રીમ કોર્ટ દ્વારા વચગાળાના જામીન મંજૂર થયા બાદ ગઈ કાલે રામપુરની એક વિશેષ અદાલતે આઝમ ખાનની મુક્તિ માટે સીતાપુર જેલ પ્રશાસનને પત્ર (Sitapur Jail) મોકલ્યો હતો. બીજી તરફ આઝમ ખાનની મુક્તિ દરમિયાન સીતાપુર જેલની બહાર સુરક્ષા કડક કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, આઝમ ખાન સીતાપુરથી સીધા રામપુર જશે.
અખિલેશ ટ્વિટ કરીને સ્વાગત કર્યું
सपा के वरिष्ठ नेता व विधायक मा. श्री आज़म ख़ान जी के जमानत पर रिहा होने पर उनका हार्दिक स्वागत है। जमानत के इस फ़ैसले से सर्वोच्च न्यायालय ने न्याय को नये मानक दिये हैं।पूरा ऐतबार है कि वो अन्य सभी झूठे मामलों-मुक़दमों में बाइज़्ज़त बरी होंगे।
આ સાથે આઝમ ખાનની મુક્તિ પર શિવપાલ સિંહ યાદવે કહ્યું કે, અમે લોકો સમાજવાદી છીએ. મુલાયમ સિંહ યાદવે અમને શીખવ્યું છે કે, આપણે સુખ-દુઃખમાં સાથ આપીએ. આ સાથે જ્યારે એમ પૂછવામાં આવ્યું કે શું અખિલેશ યાદવ આઝમ ખાનને મળશે કે નહીં, તો PSP નેતાએ કહ્યું કે અખિલેશને પૂછો.
#WATCH | Samajwadi Party leader Azam Khan released from Sitapur district jail, in a matter concerning Kotwali PS in Rampur pic.twitter.com/2TDWwFHi4W
આ સાથે આઝમ ખાનને લેવા માટે પ્રસપા નેતા શિવપાલ સિંહ યાદવ, સપા ધારાસભ્ય અને તેમના પુત્રો અબ્દુલ્લા આઝમ અને આશુ મલિક સીતાપુર જેલ પહોંચ્યા છે. બિલારીના સપા ધારાસભ્ય મોહમ્મદ ફહીમ પણ અબ્દુલ્લા આઝમની સાથે પહોંચ્યા હતા. આ સાથે પિતાની મુક્તિ પર તેમના પુત્ર અબ્દુલ્લા આઝમે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે ન્યાય આપ્યો છે.
Uttar Pradesh | Samajwadi Party leader Azam Khan released from Sitapur district jail, in a case of cheating relating to Kotwali PS in Rampur pic.twitter.com/vaImh2By4R
તમને જણાવી દઇએ કે, આઝમ ખાન ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લામાં જમીન હડપવા સહિત અન્ય ઘણાં કેસને લઇને જેલમાં બંધ હતા. તેઓની સામે લગભગ 90 કેસ નોંધાયેલા છે. તેઓને 88 કેસમાં જામીન મળી ચૂક્યાં છે. તેઓ ફેબ્રુઆરી 2020 થી જેલમાં હતાં. તેમની મુક્તિ પહેલાં સીતાપુર જેલની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી હતી.