સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ તેમના પરિવાર પર વધુ એક સંકટ આવ્યું છે. સુશાંતના મોતનો આઘાત લાગતાં તેની ભાભીનું પણ મોત થયું છે. એક તરફ મુંબઈમાં સુશાંત સિંહ રાજપૂતના અંતિમ સંસ્કાર થયા ત્યાં જ બીજી તરફ પરિવારમાં વધુ એક મોત થયું. ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતની ભાભી બિહારના પુર્ણિયામાં રહે છે.ભાઈની પત્નીએ સોમવારે અંતિમ શ્વાસ લીધા હતા.
સુશાંત સિંહ રાજપૂતની ભાભીએ લીધા અંતિમ શ્વાસ
બિહારના પુર્ણિયામાં રહેતી હતી કઝિનની પત્ની
સુશાંતના નિધનને લઈને આઘાતમાં હતી ભાભી
બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો અને અચાનક પરિવારમાં વધુ એક મોત થયું. જે સમયે સુશાંતના અંતિમ સંસ્કાર થઈ રહ્યા હતા ત્યારે જ બિહારમાં રહેતા કઝિન ભાઈની પત્નીના મોતના સમાચાર આવ્યા. રિપોર્ટના આધારે સુશાંતના નિધનના સમાચાર મળતાં જ તેઓએ ખાવા પીવાનું છોડી દીધું હતું.
કઝિન ભાઈની પત્નીએ લીધા અંતિમ શ્વાસ
સુશાંતની પિતરાઇ ભાઈની પત્ની સુધા દેની બિહારના પૂર્ણિયામાં રહેતી હતી. સુશાંતના આત્મહત્યાના સમાચાર મળ્યા બાદ તેની હાલત ખરાબ હતી અને તેણે પીવાનું છોડી દીધું હતું. એક્ટરના મોતથી તેને ભારે આઘાત લાગ્યો હતો. સુશાંતને મુંબઇમાં અંતિમ વિદાય આપવામાં આવી રહી હતી ત્યારે સુધાએ પૂર્ણિયામાં અંતિમ શ્વાસ લીધા હતા. તેનાથી પરિવાર પર દુઃખનો પર્વત તૂટ્યો છે.
બોલિવૂડ પર કંગનાએ ઠાલવ્યો ગુસ્સો
સુશાંત સિંહ રાજપૂતે રવિવારે મુંબઇ સ્થિત તેના ઘરે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. સોમવારે પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની હાજરીમાં વિલેના પાર્લે સ્થિત સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા અંગે તમામ સેલેબ્સના નિવેદનો બહાર આવી રહ્યા છે. આ સાથે જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કંગના રનૌતનો ગુસ્સો બહાર આવ્યો છે.
ડિપ્રેશનમાં હતો સુશાંત, આર્થિક તંગી કારણ નહીં
સુશાંતે આત્મહત્યા કરવાનું કેમ નક્કી કર્યું તે અંગે ઘણા દાવા કરવામાં આવી રહ્યા છે. તેની બહેને કહ્યું હતું કે, ભાઈ છ મહિનાથી ડિપ્રેશનના દર્દી હતા. તેની સારવાર ચાલી રહી હતી પરંતુ છેલ્લા કેટલાક દિવસથી દવા લેવાનું બંધ કરી દીધું હતું. તેમણે નાણાકીય સંકટના સમાચારોને નકારી કાઢ્યું હતું. આ કેસમાં મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે કહ્યું છે કે સુશાંતની પણ બોલિવૂડમાં દુશ્મનાવટને લઈને પણ તપાસ કરવામાં આવશે.