પૂર્વ મંત્રી અને ગુજરાત કોગ્રેંસના દિગ્ગજ નેતા ભરત સોલંકી તેમજ અન્ય ભાઈ-બહેનોને તેમના બહેન અલકા પટેલ દ્વારા પૈતૃક સંપતિ માટે જાહેર નોટિસ ફટકારવામાં આવી છે.
અલકા પટેલ દ્વારા ગાંધીનગર સ્થિત પૈતૃક મકાન મામલે જાહેર નોટિસ આપી
કોગ્રેંસના નેતા ભરત સોલંકી અને બહેન અલકા વચ્ચે વરસાઈને લઈને ખેંચતાણ
મકાનમાં 3 ભાઈ અને 2 બહેનો વારસદાર તરીકે હોવાનો નોટિસમાં ઉલ્લેખ
મકાન જાણ બહાર અને હક્ક આપ્યા વિના વેચાઈ રહ્યાનો નોટિસમાં ઉલ્લેખ
મકાનને જાણ બહાર વેચાઈ રહ્યું હોવાનું નોટિસમાં ઉલ્લેખ
ગાંધીનગર સેક્ટર 19 સ્થિત પૈતૃક મકાન મામલે જાહેર નોટિસ આપી છે. મકાનમાં 3 ભાઈ અને 2 બહેનો વારસદાર તરીકે હોવાનો નોટિસમાં ઉલ્લેખ કરાયો છે. મકાન તેમની જાણ બહાર અને હક્ક આપ્યા વિના વેચાઈ રહ્યા હોવાનો નોટિસમાં ઉલ્લેખ કરાયો છે. મકાનની લે-વેચમાં અલકાબેન પટેલનો સંપર્ક કર્યા સિવાય મકાનનો કરાર, લખાણ કે વ્યવહાર કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી થશે તેવું નોટિસમાં કહેવાયું છે. સ્વ.માધવસિંહ સોલંકીના પરિવારમાં એમના ત્રણ પુત્રો ભરત સોલંકી, અશોક સોલંકી, અતુલ સોલંકી અને 2 બહેનો વસુધાબેન અને અલકાબેન છે.
શું છે સમગ્ર વિવાદ ?
ગુજરાતના પૂર્વ CM માધવસિંહ સોલંકીનું 9 જાન્યુઆરી 2021ના રોજ અવસાન થયું હતું. જે બાદ માધવસિંહ સોલંકીના કુટુંબમાં ગાંધીનગર સ્થિત મકાનને લઈને ભારે વિવાદ સર્જાયો છે. દીકરી અલ્કા પટેલે વકીલ મારફતે સમાચાર પત્રમાં જાહેર નોટિસ આપી ચેતવણી આપી છે કે ગાંધીનગર સ્થિત મકાનમાં વારસાઇમાં પોતનો પણ ભાગ છે જો કોઇ પણ મકાનનો જાણ બહાર કરાર કે વ્યવહાર કરનાર કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચિમકી ઉચ્ચારી છે.
ભરતસિંહ સોલંકી સહિત ઘણા લોકો છે મકાનના ભોગવટેદાર
પૂર્વ CM માધવસિંહ સોલંકીના ગાંધીનગર સ્થિત મકાનમાં વારસાઇ હિસ્સાને લઇ તેમની દીકરી દ્વારા નોટિસ આપી દેવામાં આવી છે. અને દાવો કરવામાં આવ્યો છે કે પોતાનો હક ડુબાવવાનો પ્રયત્ન કરતા બાકીના ભોગવેટેદારોએ મકાન વેચવાનો પ્રયાસ કર્યો છે. જે કાયદેસર નથી મહત્વનું છે કે માધવસિંહના ગાંધીનગર સ્થિત મકાનમાં ભોગવટેદારમાં ભરતસિંહ સોલંકી સહિત અશોક સોલંકી, અતુલ સોલંકી, વસુધા સોલંકી, અલ્કા પટેલ પણ મકાનનો ભોગવટો ધરાવે છે ત્યારે માધવસિહની દીકરી દ્વારા આરોપ કરાયો છે કે મકાનનો સોદો બારોબાર તેમની જાણ બહાર કરી નાખવામાં આવ્યો હતો.
ભરતસિંહની મુશ્કેલીઓ ઓછી થતી નથી.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ જ નથી લેતાં. થોડા પહેલાં પત્ની રેશમા પટેલ સાથેનો વિવાદ સામે આવ્યો હતો અને બન્નેએ એક બીજા સામે જાહેર નોટીસ આપી હતી. હવે ભરતસિંહના પિતા સ્વર્ગસ્થ માધવસિંહ સોલંકીની પૈતૃક સંપત્તિનો વિવાદ સામે આવ્યો છે. તેમના બહેન અલકા પટેલે આવી જાહેર ચેતવણી આપી છે.