હરિયાણામાં વિધાનસભા ચૂંટણીમાં સિરસા બેઠક પરથી જીતેલા ગોપાલ કાંડાએ ભારત જનતા પાર્ટી (BJP)ને સમર્થન આપવાની વાત કરતાં રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. જેમાં ગોપાલ કાંડાના નામ પર ભાજપ ઘેરાતી જોવા મળી રહી છે. જેમાં આ મુદ્દા પર પાર્ટીમાં આંતરિક બબાલ સામે આવી છે.
ગોપાલ કાંડાના સમર્થનની જાહેરાત બાદ ભાજપ ઘેરાયું
કોંગ્રેસ કહ્યું - ભાજપ માટે પવિત્ર થઇ ગયો ગોપાલ કાંડા
ઉમા ભારતીએ કહ્યું - આપણે નૈતિકતા ન ભૂલવી જોઇએ
ઉમાભારતીએ ઉઠાવ્યાં સવાલ
ગોપાલ કાંડા મામલે ભાજપના જ નેતા ઉમા ભારતીએ સવાલ ઉઠાવ્યાં છે. ઉમા ભારતીએ ટવિટ કરી જણાવ્યું કે મને મળતી માહિતી મુજબ ગોપાલ કાંડા અપક્ષ ઉમેદવારનું આપણને સમર્થન મળી શકે છે. જેના પર મારે કાંઇક કહેવું છે. ગોપાલ કાંડા એ જ વ્યક્તિ છે જેના કારણે એક છોકરીએ આત્મહત્યા કરી હતી જેના પર આ વ્યક્તિ જામીન પર બહાર છે.
ઉમા ભારતીએ કહ્યું કે હું ભાજપને અનુરોધ કરુ છું કે આપણે આપણા નૈતિક અધિષ્ઠાનને ન ભૂલવુ જોઇએ. હરિયાણામાં આપણી સરકાર જરૂરથી બનશે, પરંતુ એ નક્કી કરવું જોઇએ કે જેમ ભાજપના કાર્યકર્તાઓ નિષ્દાગ છે, તેવા જ આપણી સાથે લોકો હોય.
'Only people with clean image': Uma Bharti disapproves of Gopal Kanda's support in Haryana
ભાજપ માટે શું પવિત્ર થઇ ગયો કાંડાઃ કોંગ્રેસ
કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ પણ ગોપાલ કાંડાના મુદ્દે ભાજપને ઘેર્યું છે. ગોપાલ કાંડાને લઇને ભાજપ નેતાઓના નિવેદન જોઇ રહ્યો હતો, આજે એ કાંડાનું સમર્થન લઇ રહ્યાં છે જેને કોંગ્રેસ સરકાર બહારનો રસ્તો દેખાડ્યો હતો. ગોપાલ કાંડા વિરુધ્ધ કેસ દાખલ છે. પરંતુ આજે તે પવિત્ર થઇ ગયો છે.