બોલીવૂડની ધકધક ગર્લ માધુરી દીક્ષીતનો આજે 54મો જન્મ દિવસ છે. આજે પણ લોકો તેની સ્માઇલ પર ફિદા થઇ જાય છે પરંતુ એક સમય એવો હતો જ્યારે સુરેશ વાડકરે તેની સાથે લગ્ન કરવા માટે ના પાડી દીધી હતી.
જ્યારે માધુરીએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો ત્યારે તેના લાખો ફેન્સના દિલ તૂટી ગયા હતા અને ડૉક્ટર શ્રીરામ નેને સાથે લગ્ન કરી લીધા હતા. એક સમયે માધુરીનું પ્રપોઝલ સિંગર સુરેશ વાડકરે ઠુકરાવી દીધુ હતુ.
માધુરીએ જ્યારે ફિલ્મોમાં કામ કરવાનુ નક્કી કર્યુ ત્યારે તેના માતા પિતા નહોતા ઇચ્છતા કે તે એક્ટ્રેસ બને. માધુરીના આ નિર્ણય બાદ દીકરીની ચિંતા થવા લાગી અને તેમણે નક્કી કરી લીધુ કે તેના લગ્ન કરાવી દેવા જોઇએ જેના કારણે તે પરિવારમાં વ્યસ્ત થઇ જાય અને જો તે ફિલ્મોમાં કામ કરશે તો તેને સારો સંબંધ નહી મળે.
માતા-પિતાએ દીકરી માટે સારો છોકરો શોધવાનો શરૂ કરી દીધો અને ત્યારે સિંગર સુરેશ વાડકરને મેરેજ પ્રપોઝલ મોકલ્યુ હતુ અને એક્ટ્રેસનો ફોટો જોઇને તેને રિજેક્ટ કરી દીધી હતી. સુરેશ વાડકરે કહ્યું કે છોકરી ખુબ જ પાતળી છે. આ કારણ આપીને માધુરીનું પ્રપોઝલ રિજેક્ટ કરી દીધુ હતુ. આ ઘટનાએ માધુરીના પરિવારનું દિલ તોડી દીધુ હતુ.
માધુરીના નસીબમાં કંઇક બીજુ જ હતુ જેના કારણે તેણે ફિલ્મોમાં કામ કરવાનુ શરૂ કર્યુ અને ફેન્સ તેના દિવાના થઇ ગયા હતા. માધુરીની એક સ્માઇલ પર લાખો લોકો ફીદા હતા. થોડા વર્ષો બાદ માધુરીએ અમેરિકાના હાર્ટ સર્જન ડૉક્ટર શ્રીરામ નેને સાથે લગ્ન કરી લીધા. થોડા વર્ષો બાદ તેણે ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધુ હતુ.