કોવિડ-19માં સપડાયેલા બોલિવૂડના જાણીતા ગાયક બાલાસુબ્રમણ્યમનું નિધન થયુ છે. તેમની હાલત ખુબ જ નાજુક હતી અને બોલિવૂડના સેલેબ્સ તેમની રિકવરી માટે દુઆ કરી રહ્યા હતા.
બાલા સુબ્રમણ્યમની નાજુક હાલત હતી
ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા
હળવા કોરોનાના લક્ષણ બાદ મૃત્યુ
સલમાન ખાને કરી હતી ટ્વિટ
સલમાન ખાને બાલા સુબ્રમણ્યમની નાજુક હાલત જલ્દી જ ઠીક થઇ જાય તે માટે ટ્વિટ કરી હતી અને દુઆ માંગી હતી. તેમણે લખ્યું કે મને દિલ દિવાના ગીત દ્વારા ફેસમ કરવા માટે ધન્યવાદ.
Bala Subramaniam sir . All the strength hope wishes from the bottom of my heart to a speedy recovery n thank u for every song u sang fr me n made special your dil dewana hero prem, Love u sir.
74 વર્ષીય એસ પી બાલાસુબ્રમણ્યમને 5 ઓગસ્ટના રોજ કોરોના થયો હતો. હાલમાં તેમની હાલત ક્રિટિકલ હતી. ચેન્નાઈની MGM હોસ્પિટલમાં દાખલ થયા હતા. હોસ્પિટલે 24 સપ્ટેમ્બરની સાંજે હેલ્થ બુલેટિન રિલીઝ કરીને તબિયત અંગે માહિતી આપી હતી. હોસ્પિટલના આસિસ્ટન્ટ ડિરેક્ટર ડૉ. અનુરાધાએ કહ્યું હતું કે એસપીને ECMO સહિત અન્ય લાઈફ સપોર્ટ સિસ્ટમ પર મૂકવામાં આવ્યા હતાં.
એક્સ્ટ્રા લાઇફ સપોર્ટ સિસ્ટમ બાદ પણ હાર્યા જંગ
મળતી માહિતી અનુસાર 13 ઓગસ્ટે તેમને ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. બાદમાં તેમને પ્લાઝ્મા થેરાપી પણ આપવામાં આવી હતી. તેમ છતાં તે જંગ હારી ગયા છે.
ઓગસ્ટમાં આવ્યો હતો રિપોર્ટ પોઝીટીવ
સિંગરે ઇન્સ્ટા પર વીડિયો પોસ્ટ કરીને કહ્યું હતુ કે તેમને હળવા કોરોનાના લક્ષણ છે અને તે હોસ્પિટલમાં દાખલ થઇ રહ્યાં છે. બે દિવસ બાદ જ તે ઘરે પરત ફરશે પરંતુ તેમણે 50 દિવસ હોસ્પિટલમાં ગાળ્યા બાદ આજે છેલ્લા શ્વાસ લીધા છે.