ગીર-સોમનાથ: સોમનાથ મંદિરમાં દર્શન કરવા માટે પહોંચેલા લોક ગાયક કલાકાર કિર્તીદાન વિવાદમાં ફસાયા છે. કિર્તીદાન ગઢવીએ બરમુડો પહેરીને મંદિરના દર્શન કર્યા હતા. જો કે આ દરમિયાન કોઈ અધિકારીઓ દ્વારા તેમને રોકવામાં આવ્યા ન હતા. ત્યારે હવે સોમનાથ મંદિરના ટ્રસ્ટ દ્વારા તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
મહત્વનું છે કે સોમનાથ મંદિરમાં બરમુડો પહેરીના અંદર જવા પર મનાઈ છે. ત્યારે હવે કિર્તીદાન ગઢવીએ બરમુડો પહેરીને મંદિરના દર્શન કર્યા હતા. મંદિરના નિયમોનું ઉલ્લંઘન કરતા બાબતે કિર્તીદાન વિવાદમાં ફસાયા છે.
મંદિર દ્વારા પણ કિર્તીદાન ગઢવીને રોકવામાં આવ્યા ન હતા. મંદિરમાં આટલી સિક્યોરિટી હોવા છતાં કોઈ સિક્યોરિટી ગાર્ડે કિર્તીદાનને રોક્યા ન હતા. જેના કારણે મંદિરની સિક્યોરિટી પર પણ સવાલ ઉઠયા છે.
ઉલ્લેખનીય છે કે દેશના 12 જ્યોર્તિલિંગ પૈકીના પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે કેટલાક નિયમોનું ખાસ અમલ થાય તે માટે વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
આ સાથે મંદિર ઝેડ પ્લસ કેટેગરીનું સુરક્ષા કવચ ધરાવે છે તેવું એક સાઇન બોર્ડ પણ લગાડવામાં આવેલ છે છતાં ગતરોજ ગુજરાતના લોકગાયકની ઓળખાણ ધરાવતા કિર્તીદાન ગઢવી સોમનાથ મંદિરમાં બરમુડો પહેરીને દર્શન કરવા જતાં વિવાદનો મધપૂડો છંછેડાયો છે.
આપને જણાવી દઇએ કે સોમનાથ મંદિરના દર્શને આવતા કેટલાય પ્રવાસીઓના નાના બાળકોને પણ ટૂંકા વસ્ત્રો પહેરીના પ્રવેશ આપવાની મનાઈ ફરામાવીને કાયદો અને વ્યવસ્થાથી અવગત કરવામાં આવતા હોય છે ત્યારે સેલેબ્રિટીની વ્યાખ્યામાં આવતા સભ્ય સમાજના લોકો માટે કોઇ વિશેષ નિયમો છે કે કેમ તે અંગે તંત્ર સામે સવાલ ઉઠવા પામેલ છે.