કનિકા કપૂરની PGIમાં પાંચમો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ પહેલા સતત એનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. એવામાં આ સમાચાર કનિકા અને એમના પરિવાર માટે કોઇ રાહતથી ઓછા નથી.
બોલીવુડ સિંગર કનિકા કપૂર માટે રાહત આપનાર સમાચાર
કનિકા કપૂરનો PGIમાં પાંચમો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે
કનિકાનો રિપોર્ટ કોરોના નેગેટિવ આવ્યો
જણાવી દઇએ કે કનિકા કપૂરના અત્યાર સુધી 6 વખત ટેસ્ટ થઇ ગયા છે. એક ટેસ્ટ એનો કેજીએમયૂમાં થયો હતો તો બાકીના પાંચ ટેસ્ટ પીજીઆઇમાં કરવામાં આવ્યા છે. હવે તાજેતરમાં જ કરાવામાં આવેલા ટેસ્ટમાં કનિકા કપૂરમાં કોરોનાના લક્ષમ મળી આવ્યા નથી. જો હવે ફરી એક વખત કનિ કપૂરનો રિપોર્ટ નેગેટિવ આવશે, તો જ એને ડિસ્ચાર્જ કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.
જો કે પીજીઆઇના ડાયરેક્ટર આરકે ધીમને પહેલા એ વાતના સંકેત આપી દીધા હતા કે કનિકા કપૂરની સ્થિતિમાં સુધારો થઇ રહ્યો છે. એને કહ્યું હચું કે કનિકા કપૂર નોર્મલ છે. એ સામાન્ય ખાવા પીવાનું લઇ રહી છે. એનામાં કોરોનાના કોઇ ગંભીર લક્ષણ મળી આવ્યા નથી. પરંતુ એ સમયે કનિક કપૂર કોરોના પૉઝિટીવ મળી આવી હતી, એટલા માટે એનો પરિવાર ખૂબ જ પરેશાન હતો. પરંતુ હવે કનિકા કપૂરની હાલાતમાં સુધારો છે અને એનો પહેલી વખત કોરોના નેગેટિવ રિપોર્ટ આવ્યો છે.
એવામાં જો કનિકાનો રિપોર્ટ ફરીથી નેગેટિવ આવે છે તો એને જલ્દીથી ઘરે જવાની તક મળી શકે છે. એ ખુદ કનિકા પણ પોતાનું ઘર ખૂબ યાદ કરી રહી છે. થોડાક સમય પહેલા કનિકાએ એક પોસ્ટ કરી હતી. એમાં સિંગરે લખ્યું હતું- સૂવા જઇ રહી છું. તમને બધાને મારો પ્રેમ મોકલું છું. સેફ રહો. તમને દરેકને મારી ચિંતા કરવા માટે આભાર. પરંતુ હું આઇસીયૂમાં નથી. હું ઠીક છું. મારા બાળકો અને ફેમિલી સાથે જવાની રાહ જોઇ રહી છું. હું એમને ખૂબ જ યાદ કરું છું.