કંગના રનૌતે ટ્વિટ કરીને દિલજીત દોસાંજને ખુલ્લી ચેતાવણી આપી છે અને સિંગરને તેવું કહ્યું છે કે જો દિલજીત તેવું સ્વીકારે કે તે ખાલીસ્તાની નથી તો કંગના તેની માફી માંગશે.
કંગના રનૌતે માફી માંગવા મૂકી શરત
દિલજીત દોસાંજને કહ્યું ખાલિસ્તાની
દિલજીતે આપ્યો વળતો જવાબ
ઉલ્લેખનીય છે કે હોલીવુડ સિંગર રિહાનાના એક ટ્વિટથી ભારતભરમાં ધમાસાણ મચી ગયું છે. રીહાનાના એક ટ્વિટ કર્યા બાદ આંતરરાષ્ટ્રિય મીડિયાએ ભારતીય ખેડૂત આંદોલનના મુદ્દાઓને ગંભીરતાથી ઉઠાવીને સરકારનું ગળું પકડવાનો પ્રયત્ન કર્યો છે. જે બાદ ભારતીય સરકારે અધિકારીક નિવેદન આપીને પોતાનો પક્ષ મુક્યો છે. આ દરમિયાન કંગના રનૌતે રીહાનાના ટ્વિટનો જવાબ આપતા ખેડૂતોને આતંકવાદી કહી દીધા હતા.
કંગનાએ દિલજીત દોસાંજને શું કહ્યું ?
કંગના રનૌતના ટ્વિટના જવાબમાં દિલજીત દોસાંજે ટ્વિટ કરીને જવાબ આપ્યો અને હવે બંને વચ્ચે સોશ્યલ મીડિયામાં ધમાસાણ મચી ગયુ છે. કંગના રનૌતે એક પછી એક ટ્વિટ કરીને દિલજીત દોસાંજને ખાલિસ્તાની છે તેવું કહ્યું છે. જો કે પંજાબી સિંગરે કંગના પર નિશાન સાધતા કહ્યું કે, હિન્દુસ્તાનમાં રહેવાવાળા બધા જ હિન્દુસ્તાની છે.
કેમ કહ્યું દિલજીતને ખાલિસ્તાની ?
કંગનાએ દિલજીત પર નિશાનો સાધતા લખ્યું છે કે, " તારી કેનેડા ગેંગ કંઈ નહી કરી શકે. ખાલિસ્તાન તો તમારા મગજનો જે ખાલીપણાનો ભાગ છે તેનું નામ છે. અમે દેશના ટુકડા નહી થવા દઈએ. જેટલા આંદોલન અને હડતાળ કરવી હોય એટલી કરી લો."
Teri Canada gang kuch bhi kar payegi ... Khalistan sirf tum logon ke dimaag ka jo empty space hai uska naam rahega, hum iss desh ke tukde nahin hone denge, karlo jitne chahe dangge aur strikes #IndiaTogether#IndiaAgainstPropagandahttps://t.co/sXkXMRMtxl
કંગનાએ દિલજીતને કહ્યું કે, આ દેશ ભારતીયોનો છે ,ખાલિસ્તાનીઓનો નહીં, બોલ કે તું ખાલિસ્તાની નથી. બોલ કે તું ખાલિસ્તાન ગૃપને સપોર્ટ નથી કરતો કે જે ધરણામાં તું સામેલ થયો છે. જો તું આ સ્વીકારે છે તો હું માફી માંગીશ અને તને દેશભક્ત કહીશ. હું તારા જવાબની રાહ જોઇશ."
Desh sirf Bhartiyon ka hai, Khalistanion ka nahin, bol tu Khalistani nahin hai, please say you condemn fringe groups such as Khalistanis participating in protests. If you say this I will apologise and consider you a true patriot. Please say I am waiting #IndiaTogetherhttps://t.co/toq3j4lPxD
દિલજીત દોસાંજે કંગના રનૌતને ટ્વિટનો જવાબ આપતા કહ્યું કે, હવેથી તે આ કલાકારની કોઈપણ ટ્વિટનો જવાબ નહીં આપે. દિલજીત દોસાંજે લખ્યું કે, 'કંગના આજથી હું તારા કોઈપણ ટ્વિટનો જવાબ નહીં આપું. કારણ કે, તને ટ્વિટ ટ્વિટ રમવામાં મજા આવવા લાગી છે. બાકી લોકોને તો 100 કામ હોય છે'.