સિંગર અને રેપર હની સિંહે 'બેશરમ રંગ' ગીત પર ચાલી રહેલા વિવાદને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે.
હની સિંહે બેશરમ રંગ ગીત પર આપી પ્રતિક્રિયા
રિલીઝ બાદથી જ વિવાદોમાં રહ્યું છે ગીત
ઘણા નેતાઓએ પણ ઉઠાવ્યો છે વાંધો
શાહરૂખ અને દીપિકાની ફિલ્મ 'પઠાણ'નું પહેલું ટ્રેક 'બેશરમ' પોતાના રિલીઝ બાદથી જ સતત વિવાદોમાં રહ્યું છે. આ ગીતને લઈને સોશિયલ મીડિયા પર ખૂબ જ હોબાળો થયો છે એટલું જ નહીં, ઘણા નેતાઓએ પણ તેના પર વાંધો ઉઠાવ્યો છે. હાલમાં આ બધાની વચ્ચે સિંગર અને રેપર હની સિંહે 'બેશરમ રંગ' ગીત પર ચાલી રહેલા વિવાદને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે.
શું કહ્યું હની સિંહે?
'બેશરમ રંગ' ગીત વિશે વાત કરતાં હની સિંહે કહ્યું, 'પહેલાં ઘણી સ્વતંત્રતા હતી. લોકો ભલે ઓછું ભણેલા હોય પરંતુ તેઓ વધુ સેન્સિબલ હતા. તે બૌદ્ધિક રીતે સમજદાર હતા અને વસ્તુઓને મનોરંજન તરીકે લેતા હતા. તેઓ કોઈ વાતને દિલ પર નથી લેતા...'
પહેલા કરતા લોકો વધારે સેન્સિબલ બની ગયા છે
હની સિંહે વધુમાં કહ્યું, "રહેમાન સરનું એક ગીત હતું, 'રુકમણી રુકમણી શાદી કે બાદ ક્યા હુઆ'... લોકોએ તેને સ્વીકાર્યું. હું તેને સાંભળીને મોટો થયો છું, પરંતુ જ્યારે મેં આ પ્રકારના ગીતો બનાવ્યા ત્યારે લોકોએ તેનો વિરોધ કરવાનું શરૂ કર્યું. હવે તે વધુ ખરાબ છે, લોકો વધુ સંવેદનશીલ બની ગયા છે."
હની સિંહે વધુમાં ઉમેર્યું હતું કે "લોકો તે સમયે ખૂબ જ હોશિયાર હતા અને કવિતાને સમજતા હતા અને તેને ક્યારેય ગંદી વસ્તુ તરીકે ન હતા જોતા. આજકાલ જો કોઈ 'ચોલી કે પીછે ક્યા હૈ' જેવા ગીતો બનાવે છે તો લોકો તેમના માથા પર બેસીને પુછે છે કે આ શું થઇ રહ્યું છે?'