સિંગર અને ટીવી હોસ્ટ આદિત્ય નારાયણ લગ્ન કરવા જઈ રહ્યો છે. ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલની સાથે તે લગ્ન બંધનમાં બધાઈ જશે. મળતી માહિતી મુજબ આ બંને 1 ડિસેમ્બરે મંદિરમાં લગ્ન કરશે. આદિત્યએ જણાવ્યું કે, કોરોનાકાળ દરમિયાન લગ્નના ફંક્શન કેવા રહેશે.
સિંગર અને ટીવી હોસ્ટ આદિત્ય નારાયણ લગ્ન કરવા જઈ રહ્યો છે
ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલની સાથે તે લગ્ન બંધનમાં બંધાશે
1 ડિસેમ્બરે મંદિરમાં લગ્ન કરશે
સ્પોટબોય સાથેની વાતચીતમાં આદિત્યએ કહ્યું કે તેમના લગ્નના ફંક્શન ખૂબ જ સિમ્પલ હશે. કોરોનાને લીધે, 1 ડિસેમ્બરના રોજ ફક્ત ખૂબ જ નજીકના લોકોને લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. લગ્નમાં 50થી વધુ લોકો આવશે નહીં. એક નાનકડું રિસેપ્શન પણ રાખવામાં આવ્યું છે, જેમાં ઘરના લોકો, મિત્રો અને સંબંધીઓ હશે. આ લગ્નમાં મ્યુઝિક અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી આદિત્યના એકદમ નજીકના લોકો જ સામેલ થવાના છે.
આ વર્ષે ઓક્ટોબરમાં આદિત્યએ શ્વેતા સાથેના તેના સંબંધોને જાહેર કર્યા હતા. આ પછી બંનેએ લગ્નના નિર્ણય અંગે માહિતી પણ આપી હતી. બંનેની મુલાકાત 2010માં તેમની પહેલી ફિલ્મ શાપિત દરમિયાન થઈ હતી.
બંને લગભગ દસ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે પરંતુ જીવનના આ નવા તબક્કાને લઈને આદિત્ય ખૂબ જ ઉત્સાહિત છે. તેનું કહેવું છે કે આ એક નવો ચેપ્ટર હશે. અમે એકબીજાને 12 વર્ષથી જાણીએ છીએ, 10 વર્ષથી ડેટિંગ કરી રહ્યાં છીએ, પરંતુ હવે અમે નવા તબક્કામાં એન્ટર થવા જઈ રહ્યા છીએ. લગ્ન પછી વસ્તુઓ બદલાઈ જાય છે, આપણે અમને એ વાતનો અહેસાસ છે.