સિંગાપુર સરકાર આ મામલામાં દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વિરુદ્ધ પોતાના પોફ્મા કાયદાના ઉપયોગનો અધિકાર સુરક્ષિત રાખે છે.
કેજરીવાલની વિરુદ્ધ પોતાના પોફ્માનો અધિકાર સુરક્ષિત
પોફ્મા ભ્રામક સમાચારોની વિરુદ્ધ કાર્યવાહી કરે છે
ભારત સરકાર તરફથી આપવામાં આવેલા આ સ્પષ્ટીકરણથી સંતુષ્ટ છીએ - સિંગાપુર
કેજરીવાલની વિરુદ્ધ પોતાના પોફ્માનો અધિકાર સુરક્ષિત
કોરોના વાયરસના કથિત સિંગાપુર વેરિએન્ટને લઈને ઉઠેલો વિવાદ આમ તો વિદેશ મંત્રી એસ જયશંકરની દખલથી સમાપ્ત થઈ ગયો. દિલ્હીમાં સિંગાપુરના ઉચ્ચાયુક્ત સાયમન વાંગે આ દુર્ભાગ્યજનક અધ્યયન ગણાવતા આને ખતમ થવાની વાત પણ કરી. પરંતુ સાથે એમ પણ જોડ્યુ કે સિંગાપુર સરકાર આ મામલામાં દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વિરુદ્ધ પોતાના પોફ્મા કાયદાના ઉપયોગનો અધિકાર સુરક્ષિત રાખે છે. જે ભ્રામક સમાચારોની વિરુદ્ધ કાર્યવાહી કરે છે.
ભારત સરકાર તરફથી આપવામાં આવેલા આ સ્પષ્ટીકરણથી સંતુષ્ટ છીએ - સિંગાપુર
સિગાપુરના હાઈકમિશન વાંગે કહ્યુ કે આ મામલે ભારતના વિદેશ મંત્રી ડો. જયશંકરે જે રીતે સ્થિતિને સ્પષ્ટ કરી તેનાથી અમારી સામે સ્પષ્ટ છે કે સિંગાપુરની સાથેના પોતાના સંબંધને ભારત મહત્વ આપે છે. અમે ભારત સરકાર તરફથી આપવામાં આવેલા આ સ્પષ્ટીકરણથી સંતુષ્ટ છીએ અને હવે દુર્ભાગ્યપૂર્ણ મામલાને અહીં ખતમ કરવા ઈચ્છીએ છીએ.
સિંગાપુર કોવિડ સંકટમાં ભારત સાથે ઉભુ છે
વાંગે કહ્યુ હતુ કે સિંગાપુર કોવિડ સંકટમાં ભારત સાથે ઉભુ છે. આ નિવેદન ત્યારે આવ્યુ જ્યારે સિંગાપુરથી રાહત સામગ્રીની સાથે એક નૌસેનિક જહાજ રવાના થયુ અને એક અન્ય સૈન્ય વિમાન જલ્દી મોકલવાની તૈયારી કરી રહ્યુ છે. એટલું જ નહીં તેમની તરફથી મોકલવામાં આવેલી મદદ દિલ્હીને પણ મળશે.
મનીષ સિસોદિયા તરફથી સ્પષ્ટીકરણ
આ દરમિયાન મામલાને લઈને દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા તરફથી આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યુ કે સીએમએ બાળકોને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. પરંતુ કેન્દ્ર સરકારે ચિંતા સિંગાપુરની થઈ રહી છે.
દેશમાં ભ્રામક સમાચારોના પ્રચારને રોકવા માટે પોફ્મા લાગૂ કર્યો
તેમજ ભારતમાં સિંગાપુર સરકારના અધિકારી અને હાઈકમિશનના વાંગે કહ્યુ કે તેમના દેશમાં ભ્રામક સમાચારોના પ્રચારને રોકવા માટે પોફ્મા એટલે કે પ્રિવેન્શન ફ્રામ ફાલ્સહુડ એન્ડ મિસઈન્ફોર્મેશન એક્ટ છે. સિંગાપુર સરકાર આ મામલામાં દિલ્હીના સીએમ તરફથી આવેલા આવા દાવા પર પોફ્મા હેઠળ કાર્યવાહીનો અધિકાર ધરાવે છે.
પોફ્મા શું છે
હકિકતમાં સિંગાપુર ગત વર્ષે પોફ્મા લાગૂ કર્યો હતો. આ કાયદા હેઠળ સરકાર કોઈપણ ઓનલાઈન અથવા ઓફ લાઈન સમાચાર માધ્યમની વિરુદ્ધ ભ્રામક સમાચાર ફેલાવવાને લઈને કાર્યવાહી કરી શકે છે. આના દાયરામાં સોશિયલ મીડિયા પણ આવે છે. પોફ્મા હેઠળ બનાવવા માં આવેલા નિયામક પ્રાધિકરણ ઈચ્છે તો કોઈ સ્ત્રોત વિશેષથી આવનારા સમાચારો પર સિંગાપુરના વાચકો માટે સૂચના નિર્દેશ જારી કરી શકે છે. જેથી તેને વાંચતા સમયે એ જોઈ શકાય કે આ કયા સ્ત્રોત અથવા વ્યક્તિ દ્વારા આપવામાં આવેલી માહિતીયોના પૂર્વમાં ભ્રામક સાબિત થઈ છે. એટલું જનહીં સિંગાપુરમાં તેમના દ્વારા આપવામાં આવેલી જાણકારીના પ્રસારને રોકવી પણ શક્ય છે.