ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર દરમ્યાન ઘણા દેશોએ ભારતીય યાત્રીઓ માટે સફર કરવા માટે કડક નિયમો લાગુ પાડવામાં આવ્યા હતા, પણ હવે બીજી વાર સમીક્ષા કર્યા બાદ ઘણી બધી છૂટ આપવામાં આવી છે.
ક્વોરેન્ટાઇનના દિવસ 21 દિવસથી ઘટાડીને 14 દિવસ કરી દેવામાં આવ્યા
નિયમિત રીતે એન્ટિજન રેપિડ ટેસ્ટ કરવાનો રહેશે
દુબઈના દ્વાર પણ ખૂલ્યા
ક્વોરેન્ટાઇનના દિવસ 21 દિવસથી ઘટાડીને 14 દિવસ કરી દેવામાં આવ્યા
ભારતમાં કોરોનાના કેસ ઘટતા જ બીજા દેશોએ ભારતીયો માટે પોતાના દેશના દ્વાર ખોલી દેવામાં આવ્યા છે. આ દેશમાં સિંગાપોરનું નામ સૌથી આગળ છે. સિંગાપોર દ્વારા ભારત સહિતના ઘણા દેશો કે જ્યાં વધુ સંક્રમણ ફેલાયું હતું, હવે તેવા દેશના નાગરિકો માટે ક્વોરેન્ટાઇનના દિવસ 21 દિવસથી ઘટાડીને 14 દિવસ કરી દેવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના કહેવા મુજબ આ નિર્ણય ગુરુવારથી લાગુ પડશે. (Singapore reduce stay home notice for travelers from India and other high risk countries )
નિયમિત રીતે એન્ટિજન રેપિડ ટેસ્ટ કરવાનો રહેશે
સિંગાપોરના સ્વાસ્થ્ય મંત્રાલયના કહેવા મુજબ "ગયા મહિને ભારતમાં કોરોનાના આંકડા જોયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. એક ન્યૂઝ રિપોર્ટ અનુસાર, આ યાત્રીઓએ PCR તપાસની સાથે સાથે નિયમિત રીતે એન્ટિજન રેપિડ ટેસ્ટ દ્વારા પોતાની રીતે તપાસ પણ કરતી રહેવી પડશે. મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધી કોરોના વાયરસના નવા સ્વરૂપ વિશે ઘણી ઓછી જાણકારી મળી હતી, જેમાં કોરોના સંક્રમણનો દર પણ સામેલ છે. તેથી સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ભારત સહિતના બીજા દેશો કે જ્યાં સંક્રમણ વધુ હતું તેવા યાત્રીઓ માટે 21 દિવસ સુધી ઘરમાં જ ક્વોરેન્ટાઇન રહેવાનો નિયમ હતો.
દુબઈના દ્વાર પણ ખૂલ્યા
સિંગાપોર દ્વારા વધુ સંક્રમિત અને વધુ જોખમી દેશોમાં ભારતની સાથે સાથે ઓસ્ટ્રેલીયા, દારેસલામ, હોંગકોંગ, મકાઉ, ચીન, અને ન્યુઝીલેન્ડનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ નિયમ મુજબ, સિંગાપોર આવ્યા બાદ ત્રીજા, સાતમાં અને 11 માં દિવસે ઘરે જ રહીને ART ટેસ્ટ કરવો પડશે. તેમણે સિંગાપોર આવ્યાના 14માં દિવસે RT-PCR ટેસ્ટ પણ કરાવવો પડશે. આ સાથે જ વધુ જોખમી દેશોમાંથી આવતા લોકો માટે કોઈ પણ પ્રકારનો બદલાવ કરવામાં આવ્યો નથી.
દુબઈના દ્વાર પણ ખૂલ્યા
આ સાથે જ તો તમે દુબઈ યાત્રા કરવા માંગતા હોવ તો, WHO દ્વારા માન્યતા પ્રાપ્ત કરેલ બંને વેક્સિન લીધી હોવી જોઈએ. સાથે જ ફ્લાઇટના સમયના 48 કલાક પહેલા RT-PCR સર્ટિફિકેટ રજૂ કરવું પડશે. સાથે જ દુબઈ પહોંચ્યા બાદ પણ RT-PCR ટેસ્ટ કરાવવો પડશે.