ભારત અને પાકિસ્તાન વચ્ચે પાણીને લઇને તણાવ વધી શકે છે. કારણ કે પાકિસ્તાનની વ્યવસાયિક રાજધાની કરાચી પાસે પાસે મહિલાઓ અને બાળકોને દરરોજ પાણી માટે દૂર સુધી ચાલતા જવું પડે છે. આ એક શહેર કે ગામની વાત નથી. આવી જ તસ્વીર પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં જોવા મળે છે.
તો સરકારી રિસર્ચથી જાણવા મળ્યું છે કે સીમા પાર ભારતમાં પણ અનેક લોકોને પીવા માટે ચોખ્ખુ પાણી મળતું નથી. દેશમાં 70 ટકા પાણી પ્રદૂષિત થઇ ગયું છે. તો નદીઓ પણ સુકાઇ રહી છે. એવામાં કટ્ટર વિરોધી ભારત અને પાકિસ્તાન વચ્ચે પાણીને લઇને વિવાદ થઇ શકે છે. બન્ને દેશો લગાતાર એક બીજા પર સિંધુ જળ સંધિના ઉલ્લંઘનનો આરોપ લગાવી રહ્યા છે.
મહત્વનું છે કે વિશ્વ બેન્કની મધ્યસ્થામાં 19 સપ્ટેમ્બર 1960માં ભારત અને પાકિસ્તાનની વચ્ચે પણીને લઇને એક સમજૂતી થઇ હતી. તેને જ 1960ની સિંધુ જળ સંધિ કહેવામાં આવે છે. જોકે હાલનો વિવાદ હાઇડ્રોપાવર પ્રોજેક્ટને લઇને છે. જેને લઇને ભારત ચિનાબ નદી પર કામ કરી રહ્યું છે.
પાકિસ્તાનનું કહેવું છે કે આ સંધિનું ઉલ્લંઘન છે. તેનાથી પાણીના પુરવઠા પર અસર પડશે. તો આ મામલે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન તપાસ અધિકારીની ટીમ સાઇટ પર મોકલી રહ્યા છે. તો આ તરફ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નિર્માણ કાર્યને ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.