હિંમતનગરમાં ગત રાત્રીએ વધુ એક વાર પથ્થરમારો થવાની ઘટના બની છે. શહેરના વણઝારા વાસમાં પથ્થરમારો થતાં સ્થાનિકોએ હિજરત કરવા લાગ્યા છે.
હિંમતનગરના વણઝારા વાસમાં પથ્થરમારા બાદ લોકોમાં ભય
વણઝારા વાસમાંથી સ્થાનિકોએ કરી હિજરત
ઘરવખરી, અન્ય સામાન લઈને અન્ય સ્થળે જવા નિકળી ગયા
7 થી 8 પરિવારો પોતાનું ઘર છોડીને અન્ય સ્થળે જવા નિકળ્યા
હિંમતનગરના વણઝારા વાસમાં પથ્થર મારાનો મામલો
હિંમતનગરમાં વધુ એકવાર પથ્થરમારો થવાની ઘટના બની છે.ગત રોજ શહેરના વણઝારા વાસમાં પથ્થરમારો થયો છે. બે ટોળા સામસામે આવી જતા પરિસ્થિતિ વણસી હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ઘટનાસ્થળે ભીડ પર કાબૂ મેળવવા માટે 6 ટિયરગેસના સેલ છોડ્યા હતા. બીજી તરફ આ ઘટના બાદ વણઝારા વાસમાં કેટલાક સ્થાનિકોએ વારંવાર હુમલા થવાના કારણે પોતાના માલ-સમાન લઈને અને અન્ય સ્થળે હિજરત કરી રહ્યાં છે
વણઝારા વાસમાંથી સ્થાનિકોએ કરી હિજરત
સ્થાનિકોના જણાવ્યા અનુસાર ગત રાત્રી દરમિયાન થયેલા પેટ્રોલ બોમ્બના હુમલા બાદ સતત ભય સતાવી રહ્યો છે, આ સાથે આ વિસ્તારમાં વારંવાર આવા હુમલાઓ થતાં રહેતા હોય છે. જેથી અમે અમારા પરિવાર સાથે અન્ય સ્થળે શીફ્ટ થઈ રહ્યાં છે. ઉલ્લેખનયી છે કે, ગત રાત્રીના દરમિયાન પેટ્રોલ બોમ્બના હુમલા બાદ નાના બાળકો ભયનો માહોલ ફેલાઈ ગયો છે. બીજી તરફ આ ધટના બાદ વણઝારા વાસમાંથી બનેલી ઘટના બાદ 7 થી 8 પરિવાર પોતાના ઘર બંધ હિજરત કરી રહ્યા છે
ખંભાતમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલ
બીજી તરફ હિંમતનગર બાદ ખંભાતમાં પણ રામનવમીની શોભાયાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હોવાનો બનાવ બન્યો હતો. જે બાદ જિલ્લા પોલીસ વડા દ્વારા ખંભાત શહેરના તમામ વિસ્તારોમાં શાંતિપૂર્ણ માહોલ બનાવવા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. આ સાથે પોલીસે પથ્થરમારાના બનાવમાં 9 જેટલા આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે બાકી આરોપીઓ ઝડપી પાડવા પોલીસે કાર્યવાહી વધુ તેજ બનાવી છે.