શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીનો વાર ગણવામાં આવે છે. આ દિવસે અનેક મહિલાઓ સંતોષી માતાનું વ્રત રાખે છે. આ દિવસે માતા લક્ષ્મીના પૂજનથી પણ તેમની કૃપા વરસે છે. જો તમે આજના ખાસ દિવસે આ કેટલાક ઉપાયો અજમાવી લો છો તો તમે આર્થિક તંગીમાંથી ઝડપથી રાહત મેળવી શકો છો.
શુક્રવારે કરો મા લક્ષ્મીની પૂજા
આર્થિક તંગીથી બચવામાં માતા કરશે મદદ
અજમાવી લો આમાંથી કોઈ પણ સરળ ઉપાય
પીળા કપડામાં પાંચ પીળી કોડી અને કેસર
શુક્રવારના દિવસે પીળા કપડાંમાં પાંચ પીળી કોડી અને થોડું કેસર તથા એક ચાંદીનો સિક્કો બાંધીને તમારી તિજોરીમાં રાખો. આ ઉપાયથી થોડા દિવસમાં જ તમારા ઘરમાં ધનનું આગમન શરૂ થશે.
કુંવારી કન્યાને ખીર ખવડાવો
શુક્રવારના દિવસે 3 કુંવારી કન્યાને ખીર ખવડાવો. ત્યારબાદ તેમને દક્ષિણા અને પીળું વસ્ત્ર ભેટમાં આપો. કુંવારી કન્યાને માતાનું રૂપ માનવામાં આવે છે. તેઓ પ્રસન્ન થશે તો મા લક્ષ્મી તમારા પર પ્રસન્ન થશે અને તમે સંપન્ન થઈ શકશો.
ગાયના ઘીનો દીવો કરો
શુક્રવારના દિવસે ઘરના ઈશાન ખૂણામાં ગાયના ઘીથી લાલ રંગના દોરાથી બનાવેલી દિવેટનો દીવો કરો. આ ઉપાયથી તમે ઝડપથી ધનની પ્રાપ્તિ કરી શકશો. અને સાથે જ માતા રાણી પણ તમારી પર અપાર કૃપા વરસાવશે.
દક્ષિણામુખી શંખમાં જળ
શુક્રવારના દિવસે દક્ષિણામુખી શંખમાં જળ ભરો અને ભગવાન વિષ્ણુનો અભિષેક કરો. આમ કરવાથી મા લક્ષ્મી તમારાથી ખુશ થશે અને તમારે ત્યાં ધનની વર્ષા શરૂ થશે. તેનાથી તમારા જીવનની દરેક આર્થિક સમસ્યાઓમાં પણ રાહત મળવાનું શરૂ થશે.