દિવાળીની સીઝન નજીક આવી રહી છે. આ સમયે તમે સફાઈનું કામ પણ હવે શરૂ કર્યું હશે. સફાઈની સાથે જો તમે ગરોળી ભગાડવાના ઉપાય પણ શોધી રહ્યા છો તો આ ટિપ્સ તમારી મદદ કરશે. આ નાના ઉપયોગની મદદથી તમે તમારા ઘરમાંથી સરળતાથી ગરોળીને દૂર કરી શકો છો. જાણો ઘરની કઈ ચીજોનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવે તો લાભ મળે છે.
ઘરમાં ગરોળી આવે તો ઘણા લોકો ડરી જતા હોય છે. આ ગરોળીનો દેખાવ જ તમને કંઈક અજુગતું ફીલ કરાવે છે. જો તમે અનેક સ્પ્રે યૂઝ કર્યા બાદ પણ ગરોળીથી છૂટકારો મેળવી શક્યા નથી તો તમે આ નાના અને સરળ 10 ઉપાયો અજમાવીને ઘરમાંથી ગરોળીને ફટાફટ ભગાડી શકો છો. અહીં જે ચીજવસ્તુઓનો ઉપયોગ કરવાનું જણાવવામાં આવ્યું છે તે તમને તમારા ઘરમાં સરળતાથી મળી રહે છે. તો હવે ફટાફટ ટ્રાય કરી લો આમાંથી કોઈ પણ એક ઉપાય અને ભગાડી લો ગરોળી.
ઈંડાના ઉપરના ભાગને ફેંકો નહીં. તેની ગંધથી ગરોળી ભાગે છે. તેને દરવાજા કે બારીઓ પર રાખો. આ જગ્યાએથી ગરોળી આવશે નહીં.
લસણની સ્મેલ ગરોળીને પસંદ નથી. લસણના રસનો છંટકાવ ઘરની બારીઓ અને દરવાજા પાસે કરો. ગરોળી નહીં આવે.
કોફી પાવડર અને તમાકુને મિક્સ કરીને નાની ગોળીઓ બનાવો. ટૂથપિકમાં ફસાવીને ઘરના અલગ અલગ ખૂણામાં રાખો.
મરી પાવડરને પાણીમાં મિક્સ કરો. તેનું સ્પ્રે એ જગ્યાઓએ છાંટો જ્યાં વધારે ગરોળી રહેતી હોય. તેની સ્મેલથી ગરોળીઓ ભાગી જશે.
નેપ્થેલીનની ગોળીની ગંધ પણ ગરોળીને પણ પસંદ હોતી નથી. તમે તેને કબાટમાં પણ રાખી શકો છો. ગરોળી કબાટમાં જશે નહીં.
ઘરના દરેક ખૂણામાં ડુંગળીનો ટુકડો રાખો. આ સિવાય તમે ડુંગળીના રસનું સ્પ્રે પણ યૂઝ કરી શકો છો. તેની ગંધ ગરોળી સહન કરી શકતી નથી.
જ્યાં ગરોળી દેખાય ત્યાં ઠંડા પાણીનું સ્પ્રે કરો. થોડા દિવસ સુધી આ ઉપાય કરવાથી ગરોળી આવતી બંધ થશે.
ઘરમાં મોરપંખ રાખો. દિવાલ પર કે પોટમાં તેને રાખવાથી ઘરની સુંદરતા વધે છે, સુખ સમૃદ્ધિ આવે છે અને ગરોળીઓ પણ દૂર રહે છે.