ગરમીની ઋતુમાં ભાગ્યેજ કોઈ એવું ઘર હશે જે ગરોળીથી બચ્યું હશે. આમ તો તે દરેક ઋતુમાં જોવા મળે છે પરંતુ ગરમીની ઋતુમાં તે વધારે જોવા મળે છે. જો તમે પણ તમારા ઘરમાં ગરોળીઓથી પરેશાન છો અને તેને ભગાવવા માટે ઘણા પ્રયત્નો કરી ચુક્યા છો તો આજે જ આ નુસખો અપનાવો જેનાથી ગરોળી તમારા ઘરમાં જોવા નહિ મળે.....
સૌથી પહેલા એક બોટલમાં ડુંગળીના રસ સાથે કેટલાક ટીપા લસણના રસને ભેળવો. હવે તમે તેમાં થોડુ પાણી ભેળવી બોતલને બંધ કરી લો અને તેને સારી રીતે ભેળવી લો. ત્યાર બાદ તમેને જે જગ્યા પર ગરોળી વઘારે દેખાતી હોય ત્યાં આ રસનો સ્પ્રે કરી દો. આ સ્પ્રે કર્યા બાદ ગરોળી જાતેજ તમારા ઘરથી ઘણી દુર જતી રહેશે.
આ ઉપરાંત ઘરના જે ખુણામાં ગરોળી સૌથી વધારે આવે છે ત્યાં લસણની કળી પણ રાખી શકો છો. આવું કરવાથી ગરોળી ઘરથી દૂર રહે છે.
લસણના આ નુસખા ઉપરાંત તમે ગરોળીને દૂર ભગાવવા માટે ડુંગળીનો પમ ઉપાય કરી શકો છો. તેના માટે ડુંગળીને લાંબી-લાંબી પાતળી કાપીને તેને દોરીથી બાંધીને તેને ઘરના ખુણાં બાંધવાથી ગરોળી આવતી નથી.
આ ઉપરાંત તમે ગરોળીઓને દૂર ભગાવવા માટે કાળા મરચાના સ્પ્રેનો પણ ઉપયોગ કરી શકો છો. આ સ્પ્રેને બનાવવા માટે તમારે કાળા મરચાનો પાઉડરને પાણી સાથે ભેળવીને એક બોતલમાં ભરી લો. ત્યાર બાદ તેને ઘરના દરેક ખુણાં છાંટી દો.