દેશનું પ્રથમ જ્યોતિલિંગ મંદિરના અનેક હિસ્સાને સુવર્ણ જડિત કરાયો છે. તો હવે જુના સોમનાથ મંદિરને ચાંદી જડિત કરવામાં આવ્યું છે.
હિંદુઓની આસ્થાના પ્રતીક એવા સોમનાથ મંદિરના ગર્ભગૃહ દરવાજા પિલર સહિતને સુવર્ણ જડિત કરાયા છે. પરંતુ હવે જુના સોમનાથને ચાંદી જડિત કરવામાં આવ્યું છે. સોમનાથ મહાદેવ મંદિર 2 છે એક નવું અને બીજું જૂનું જુના સોમનાથને હલીયાબાઈ સોમનાથ મંદિરથી પણ ઓળખાય છે. જે 1783માં સ્થાપિત થયુ છે જે ઇન્દોરના રાણી અહલીયાબાઈએ બનાવડાવ્યું હતુ.
મુખ્ય સોમનાથ ગણાતું નવા સોમનાથ મંદિરનો એક હિસ્સો 120 કિલો સોનાથી મઢવામાં આવ્યો છે. બીજી તરફ જુના સોમનાથ મંદિરને પણ એક ભાવિકો દ્વારા 66 કિલો ચાંદી દાનમાં મળ્યું. જુના સોમનાથ મંદિરનું થાળું ચાંદી જડિત કરાયું છે. આશરે દોઢ માસ સુધી સિહોરના કારીગરો દ્વારા આ થાલું ચાંદી જડિત કરાયું હતું.
આગામી સમયમાં પણ ચાંદીનું કોઈ શ્રદ્ધાળુ દાન કરશે તો જુના સોમનાથ મંદિરના અન્ય ભાગો પણ ચાંદી જડિત કરાશે. જુના સોમનાથ મંદિરની વિશેષતા એ છે કે ત્યાં શ્રદ્ધાળુઓ જાતે જ મહાદેવ પણ જળાભિષેક કરી શકે છે.