ઓમિક્રોનથી બચવા માટે સિક્કિમમાં વિદેશી નાગરિકો પર પ્રતિબંધ લગાવ્યો છે. આમ કરનારુ દેશનું પહેલુ રાજ્ય બન્યું.
સિક્કિમમાં વિદેશી નાગરિકો પર પ્રતિબંધ
વિદેશી નાગરિકો પર પ્રતિબંધ લગાવનારું પહેલું રાજ્ય
આ નિર્ણય ઓમિક્રોનને લીધે લેવામાં આવ્યો
સિક્કિમમાં વિદેશી નાગરિકો પર પ્રતિબંધ
કોરોનાના અલગ અલગ વેરિએન્ટથી ડરેલી દુનિયામાં હવે એક નવું સંકટ આવ્યું છે. ઓમિક્રોને દુનિયાને ફરી ચિંતામાં નાંખી દીધી છે. જેને અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી માનાય છે. જેના કારણે ભારતે આ નવા વેરિએન્ટને પહોંચી વળવા માટે તૈયારી શરુ કરી છે. હવે આ શ્રેણીમાં સિક્કિમમાં વિદેશી નાગરિકો પર પ્રતિબંધ લગાવ્યો છે.
આ નિર્ણય ઓમિક્રોનને લીધે લેવામાં આવ્યો
જાણકારી મુજબ 15 ડિસેમ્બર સુધી સિક્કિમમાં વિદેશી નાગરિકોને એન્ટી નહીં આપવામાં આવે. આ નિર્ણય ઓમિક્રોનને લીધે લેવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે 15 ડિસેમ્બરે 2021 સુધી સિક્કિમ જનારા વિદેશી નાગરિકો માટે ઈનર લાઈન પરમિટ/આરએપી/ પીએપી પાસ રદ્દ કરી દીધો છે. તેવામાં તે સેર સપાટા અથવા ફરવા માટે ન આવી શકે. હવે આ આકરુ વલણ અપનાવનાર સિક્કિમ પહેલું રાજ્ય બની ગયું છે. બીજા રાજ્યમાં કડકાઈ જોવા મળી રહી છે. પરંતુ વિદેશી નાગરિકો પર આ રીતે બેન નથી લગવવામાં આવ્યો. પરંતુ સિક્કિમે હવે આ નિર્ણય લીધો છે.
ઓમિક્રોનનો ખતરા માટે સરકાર તૈયાર છે
આમ તો ઓમિક્રોન વેરિએન્ટને લઈને કેન્દ્ર તરફથી નવી ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી દીધી છે. નવી એડવાઈઝરી મુજબ જે પ્રવાસી રિસ્ક વાળા દેશોમાં ભારત આવશે. તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. જો બન્ને ડોઝ લીધા છે. ફરી પણ ટેસ્ટ અનિવાર્ય રહેશે. તેમજ પોઝિટિવ પ્રવાસીઓને ક્વોરેન્ટાઈન કરવાની તૈયારી છે.