મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ અને પાકિસ્તાનના જેયુડી પક્ષના વડા હાફિઝ સઈદે ચૂંટણી અગાઉ પાકિસ્તાનના શીખ સમુદાયની મુલાકાત લઈ ભારત વિરુદ્ધ ઝેર ઓકી ઉશ્કેર્યા હતા.
સઈદ દ્વારા નાનકાના સાહિબમાં આ બેઠક યોજવામાં આવી હતી. સઈદે ભારત વિરૃદ્ધ ઝેર ઓકતા જણાવ્યું હતું કે શીખ બહાદુર સમાજ છે પણ ભારતમાં તેમના પ્રત્યે ભેદભાવ રખાય છે. પાકિસ્તાન ભારત સાથે મૈત્રી રાખવા કોઈપણ બલિદાન આપવા તૈયાર છે.
આ બેઠકમાં MMLએના વડા સૈફદ્દીન ખાલીદ પણ હાજર હતા. તે ઉપરાંત પાક. શીખ ગુરૃદ્વારા પ્રબંધક કમિટિના મંત્રી ગોપાલસિંહ યાવલની આગેવાની હેઠળ શીખ નેતાઓ ઉપસ્થિત હતા.
ઉલ્લેખનીય છે કે સઈદના માથા પર આતંકવાદી પ્રવૃત્તિ બદલ અમેરિકાએ એક કરોડ ડોલરનું ઈનામ જાહેર કર્યું હતું. પાકિસ્તાનમાં યોજાનારી ચૂંટણી માટે આ બેઠકમાં તેણે શીખ સંપ્રદાયનો ટેકો માગ્યો હતો.