કરતારપુર કોરીડોર ફરીએકવાર વિવાદોમાં છે. હરિયાણાની એક યુવતી કરતારપુરમાં દર્શન કરવા ગઈ હતી અને ત્યાંથી ગાયબ થઇ ગઈ. રીપોર્ટ મુજબ ચાર પાકિસ્તાની યુવકો તેને પ્રલોભન આપીને લઇ ગયા હતા.
પાકિસ્તાન યુવકોની ધરપકડ કરવામાં આવી
પાકિસ્તાનનાં રેલ-મંત્રીએ પહેલાં જ કર્યો છે બફાટ
પાકિસ્તાન રેન્જર્સનાં મારફતે યુવતી ભારત પાછી આવી
અકાલી દળનાં નેતાએ ટ્વીટ કરીને જાણકરી આપી
પાકિસ્તાનની પોલીસે લાહોર અને ફૈસલાબાદનાં ચાર યુવકોની ધરપકડ કરી છે. જોકે આ મામલામાં દિલ્હી સીખ ગુરુદ્વારા પ્રબંધક કમિટીનાં અધ્યક્ષ અને અકાલી દળનાં નેતા મનજીંદર સિંહે ટ્વીટ કરીને જાણકરી આપી છે કે યુવતી મળી ગયી છે. પાકિસ્તાનનાં રેન્જર્સનાં મારફતે તે યુવતીને પાછી મોકલવામાં આવી.
Sikh Girl Manjit Kaur from Haryana who went to Gurdwara Sri Kartarpur Sahib with a jatha 3 days ago had gone missing in Pakistan
She was reported to visit Pak to meet Pakistani boy who allured her.
She was sent back to India when Pak rangers spotted herhttps://t.co/Rj0gjhOEAj
સિરસાએ વધુમાં પાકિસ્તાન પર હુમલાઓ કર્યા હતા. આગળ તેમણે લખ્યું કે પાકિસ્તાનમાં હિંદુ અને શીખ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવવામાં આવે છે પછી તેમના પર દબાણ કરી ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે. જેથી કરતારપુર જઈ રહેલા શ્રદ્ધાળુઓએ સાવધાન રહેવાની જરૂર છે.
પંજાબનાં મુખ્યમંત્રીએ આપ્યો જડબાતોડ જવાબ
નોંધનીય છે કે થોડાક દિવસો પહેલાં જ પાકિસ્તાન સરકારનાં રેલ મંત્રીએ ઉશ્કેરણીજનક નિવેદન કરતા કહ્યું હતું કે કરતારપુર કોરીડોર જનરલ બાજવાનાં દિમાગની ઉપજ છે અને આગામી દિવસોમાં તે ભારતને ભારે નુકસાન પહોંચાડશે. રેલમંત્રીનાં આવા નિવેદન બાદ ખુબ હોબાળો થયો હતો. પંજાબનાં મુખ્યમંત્રી અમરિંદર સિંહે જડબાતોડ જવાબ આપતાં કહ્યું કે જો કોરીડોરનાં મારફતે પાકિસ્તાન કોઈ કાવતરું ઘડશે તો અમે તેને જાહેરમાં ખુલ્લું પડી દઈશું. આ સિવાય મનજીંદરસિંહ સિરસાએ પણ તીખી પ્રતિક્રિયા આપી હતી.