કોરોનાની બીજી લહેર ઘાતક બની રહી છે ત્યારે જો તમને પણ 8માંથી કોઈ લક્ષણો દેખાય તો તમે કોરોના સંક્રમિત છો. તરત જ ટેસ્ટ કરાવી લો.
દેશમાં વધી રહ્યો છે કોરોના
8 લક્ષણો તમારા માટે જાણવા છે જરૂરી
તરત જ કરાવી લો કોરોના ટેસ્ટ
ભારતમાં કોરોનાના રેકર્ડબ્રેક કેસ આવતાં ફરી એક વાર હાહાકાર મચ્યો છે. ભારતમાં કોરોનાના એક દિવસના કેસ 1 લાખ 52 હજાર 565 નવા કેસ આવ્યા છે. દેશમાં કોરોનાથી એક દિવસમાં 90 હજાર 328 દર્દી રિકવર થઈ ચૂક્યા છે. તો દેશમાં કોરોનાથી એક દિવસમાં 838ના મૃત્યુ થયા છે. ભારતમાં કોરોનાના એક્ટીવ કેસ 11 લાખ 2 હજાર 370 થઈ ચૂક્યા છે. ભારતમાં કોરોનાના કુલ કેસ 1 કરોડ 33 લાખ 55 હજાર 465 નોંધાઈ ચૂક્યા છે. દેશમાં કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા 1 કરોડ 20 લાખ 78 હજાર 333 પહોંચી છે. ભારતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1 લાખ 69 હજાર 305 થયો છે.
આ છે કોરોનાના સામાન્ય લક્ષણો અને સંકેત
કોરોના સંક્રમિતોમાં ખાસ કરીને તેમને ઠંડી લાગવાની સાથે તાવ આવે છે. આ સિવાય શરદી, ઉધરસ અને થાકની સાથે બોડી પેન સામાન્ય લક્ષણ છે. એવામાં તમે પહેલા આ લક્ષણ અનુભવો છો તો તમારે સચેત થઈને કોરોના ટેસ્ટ કરાવી લેવાની જરૂર છે.
આંખો લાલ થવી
અનેક લોકો કોરોના વાયરસ પોઝિટિવ આવી રહ્યા છે, તેઓને આંખોમાં દર્દ અને તે લાલ થવાની ફરિયાદ પણ જોવા મળે છે. એવામાં તમને જો તાવ અને આંક લાલ રહેવી કે તેમાં સોજાની ફરિયાદ છે તો તમને કોરોના હોઈ શકે છે.
યાદશક્તિ પર અસર
કોરોના મસ્તિષ્ક પર પણ અસર કરે છે. એવામાં લોકોની યાદશક્તિમાં ખામી આવી શકે છે. કોઈ ચીજ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી રહે છે.
કફ કે સૂકી ખાંસી
કફ કે સૂકી ખાંસી કોરોનાના સૌથી પ્રમુખ લક્ષણોમાંનું એક છે. કોરોના સંક્રમિત થયેલા દર્દીઓ કહે છે કે જો તમને સામાન્યથી અલગ ખાંસીની ફરિયાદ લાગે છે તો તમે ટેસ્ટ કરાવી લો તે જરૂરી છે.
તાવ
તાવ કોરોનાનું પ્રમુખ લક્ષણ નથી પણ જો તમને તાવ આવે છે અને તે 99થી 103ની વચ્ચે છે તો સાથે જ તમને ઠંડી પણ અનુભવાય છે તો તમે કોરોના સંક્રમિત હોઈ શકો છો. તમારા માટે ટેસ્ટ કરાવવો જરૂરી બને છે.
સૂંઘવાની અને સ્વાદની ક્ષમતા પર અસર
કોરોના સંક્રમિતોની સૂંઘવાની અને સ્વાદની ક્ષમતા પર અસર થાય છે. આ બંને ઈન્દ્રિયો પર કોરોના પ્રહાર કરે છે. તો તમે પણ આ સ્થિતિમાં કોરોના ટેસ્ટ કરાવો તે જરૂરી છે.
શ્વાસ લેવામાં તકલીફ
શ્વાસ લેવામાં તકલીફએ કોરોનાનું ભયાનક લક્ષણ છે. તેનાથી પીડિત થવાની સાથે તમે કોરોના પોઝિટિવ છો તે માની લેવું અને તરત ટેસ્ટ અને સારવાર કરવી જરૂરી છે.
માંસપેશીઓમાં દર્દ
એક રિપોર્ટ અનુસાર 50 ટકા કોરોના દર્દીઓને માંસપેશીમાં દર્દ રહે છે. આ દર્દ લાંબા સમય સુધી રહે છે તો તમને કોરોના હોઈ શકે છે.