શરીરને હાઇડ્રેડ રાખવા માટે પાણી ખુબ જ જરૂરી છે. પાણી પીવાથી આપ સ્વસ્થ્ય રહો છો. પરંતુ વધારે પાણી પીવાની આદત આપના માટે જોખમી બની શકે છે. વિશેષજ્ઞોનું માનવું છે કે સ્વસ્થ જીવનશૈલી માટે એક દિવસમાં 9થી 13 કપ પાણી પર્યાપ્ત છે. પાણીની આટલી માત્રા આપને હાઇડ્રેડ રાખી શકે છે. પરંતુ જો આપ તેથી વધારે પાણી પીવો છો તો તેના દુષ્પરિણામ પણ આવી શકે છે. એવામાં હંમેશા યાદ રાખવું કે જો તમને તરસ લાગતી નથી તો બીનજરૂરી પાણી ન પીવું જોઇએ.
જો આપ તરસ લાગી ન હોત તેમ છતા પાણી પી રહ્યા છો તો આ આદત છોડી દો. આપને જ્યારે તરસ લાગે છે ત્યારે શરીરને જેટલી પાણીની જરૂર હોય છે તેટલી મળી જાય છે. જો આપને તરસ નથી લાગી રહી અને છતા આપ પાણી પી રહ્યા છો તો આપના શરીરમાં હાજર ઇલેક્ટ્રોલાઇટ્સને અસંતુલન થઇ શકે છે.
વધારે હાઇડ્રેડ થવાથી શરીરમાં હાજર ઇલેક્ટ્રોલાઇટ્સ, જેવા કે પોટેશિયમ, સોડિયમ અને મેગ્નેશિયમનું સંતુલન બગાડી શકે છે. આ જ વસ્તુઓ આપણી કિડનીથી લઇને હાર્ટ ફન્કશન સુધી તમામા વસ્તુઓને સંચાલન કરે છે. એવામાં વધારે પાણી પીવાથી લઇને શરીરમાં તેનું સંતુલન બગડી શકે છે. અને આપનું શરીર યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરી શકે છે.
જો આપ વધારે શારીરિક શ્રમ કરો છો અને ગરમીના હવામાનમાં બહાર ભાગદોડ કરો છો તો આપને વધારે પાણી પીવાની જરૂર છે. નહીં તો આપની પ્રાકૃત્તિક તરસના આધારે જ પાણી પીવો. આપને એ પણ ખબર હોવી જોઇએ કે જો આપના યૂરીનનો રંગ પીળો છે તો તે ડીહાઇડ્રેશનના લક્ષણ છે. પરંતુ તેનો અર્થ એ નથી કે આપ એટલો પાણી પીવો કે તેનો રંગ એકદમ સાફ થઇ જાય. જો તમારા યૂરીનનો રંગ એકદમ સાફ છે તો એનો અર્થ છે કે આપ જરૂર કરતા વધારે ડાઇડ્રેડ છે અને પાણી પીવાની માત્રાને ઓછી કરવાની જરૂર છે.
મેડિકલ ન્યૂ ટુડે મુજબ, મોટાભાગના લોકો 24 કલાકમાં સાત-આઠ વાર યૂરીન કરવા જાય છે. જો આપ વારંવાર યૂરીન કરવા જઇ રહ્યા છો અને રાત્રે પણ ઉઠીને પેશાબ કરવા જઇ રહ્યા છો તો એનો અર્થ છે કે આપ જરૂર કરતા વધારે પાણી પી રહ્યા છો. જોકે, તેનું અન્ય કારણ યૂરીનમાં નળીમાં સંક્રમણ, ડાયાબિટીસ અને પ્રોસ્ટેટ સમસ્યા પણ હોઇ શકે છે.
વધારે પાણી પીવાથી તમારા હાથ, પગ અને હોઠો પર સોજો આવી શકે છે. મોટાભાગે વધારે પાણી પીવાથી લોહીમાં સોડિયમની માત્રા ઓછી થઇ જાય છે અને શરીરને નુકશાન પહોંચે છે.