નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે મંગળવારે કહ્યું હતું કે અર્થવ્યવસ્થામાં હવે સુધારાના સંકેતો જોવા મળી રહ્યા છે. જો કે આ સાથે તેમણે કહ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષમાં કુલ સકલ ઘરેલુ ઉત્પાદન (GDP)નો વિકાસ દર ઘટાડો આવશે અથવા શૂન્યની નજીક હશે.
નાણા મંત્રીએ કહ્યું હતું કે, 2020-21ના પ્રથમ ત્રિમાસિકમાં અર્થવ્યવસ્થામાં 23.9 ટકાનો તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે, જેનાથી નાણાંકીય વર્ષ દરમિયાન GDPની વૃદ્ધિદર નકરાત્મક અથા શૂન્યની નજીક રહેશે. નિર્મલા સીતારમણે કહ્યું કે તહેવારની સિઝનમાં થતી ખરીદીથી ભારતીય અર્થવ્યવસ્થા ગતિ મેળવવાની અપેક્ષા છે. હાલમાં સરકારના ભાર જાહેર ખર્ચ દ્વારા આર્થિક ગતિવિધિઓને વધારવા પર છે.
નાણાં પ્રધાને સેરા સપ્તાહના ઈન્ડિયા એનર્જી ફોરમને સંબોધન કરતા કહ્યું કે સરકારે કોરોના મહામારીના કારણે 25 માર્ચથી કડક લોકડાઉન લગાવી દીધું હતું, કારણ કે લોકોનું જીવન બચાવવું વધારે જરૂરી હતું. નિર્મલા સીતારમણે કહ્યું કે લોકડાઉનને કારણે જ સરકાર કોરોનાની આ મહામારી સામે લડવા માટે તૈયારી કરી શકી.
નિર્મલા સીતારમણે કહ્યું કે આર્થિક ગતિવિધિઓને ફરી શરુ કરવામાં આવતાં અર્થવ્યવસ્થામાં સુધારાના સંકેત જોવા મળી રહ્યાં છે. નાણા મંત્રીએ કહ્યું કે તહેવારની સીઝનથી અર્થવ્યવસ્થાને ફરી ગતિ મળવાની આશા છે. સીતારમણે કહ્યું કે જેના કારણે ચાલુ નાણાંકીય વર્ષમાં ત્રીજા અને ચોથા ત્રિમાસિકમાં વિકાસ દર સકારાત્મક રહેવાની આશા છે.
સીતારમણે કહ્યું કે કુલ મળીને 2020-21માં GDPનો વૃદ્ધિ દર નકારાત્મક અથવા શૂન્યની નજીક રહેશે. નાણા મંત્રીએ કહ્યું કે આવતા વર્ષથી વૃદ્ધિ દરમાં સુધાર થશે.