ટ્વિટર પર વણઝારાએ કુશાસનમાંથી પ્રજાને મુક્ત કરવાની વાત કરી
પૂર્વ IPS ડી.જી વણઝારાના રાજકારણમાં આવવાના સંકેત
IPS વણઝારાએ ટ્વિટર પર શરૂ કર્યું અભિયાન
વિધાનસભા ચૂંટણી પહેલા વણઝારા કરી શકે છે જાહેરાત
જેમ જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકિય પક્ષોમાં હેરાફેરી શરૂ થઈ ગઈ છે. ભાજપ કોંગ્રેસ હોય કે આપ પોતાની તરફ લોકોને ખેચવા એવા ચહેરાઓ પસંદ કરી રહ્યા છે જેના લીધે વધુમાં વધુ લોકો જે તે વિચારધારા સાથે જોડાય તેવામાં પૂર્વ IPS ડી.જી વણઝારાના રાજકારણમાં આવવાના સંકેત મળી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી તેઓ ટ્વીટ પર ટ્વીટ કરી કેન્દ્ર અને રાજ્ય સરકાર પર પ્રહાર કરી રહ્યા છે.
ગુજરાતને કુશાસનમાંથી મુક્ત કરાવવા તૈયાર થાઓ: ડી.જી વણઝારા
પૂર્વ IPS ડી.જી વણઝારાએ પોતાનો મત વ્યક્ત કરતાં કહ્યું છે કે ગુજરાતમાં સંત મહાત્માઓ, અમીરો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, મધ્યમ વર્ગ, ખેડૂતો, મજૂરો, શોષિતો, વંચિતો અને ગરીબો સૌ કોઈ ભય ના ઓથાર નીચે જીવી રહયા છે. જ્યારે ગુંડાઓ, અસામાજિક તત્વો, ભૂમાફિયાઓ અને દેશદ્રોહીઓ નિર્ભય થઈને કાળા કરતૂતો કરી રહયા છે. આવા કુશાસનમાંથી મુક્ત થવા માટે તૈયાર થાઓ.
13મે નું ટ્વીટ
ગુજરાતમાં નવા રાજકીય વિકલ્પનો ઉદય થવા જઈ રહ્યો છે, જે ડિસેમ્બર ૨૦૨૨માં વિજય હાંસલ કરશે અને રાજસત્તા સાથે ધર્મસત્તાની સ્થાપના કરશે. મુસ્લિમો, ઈસાઈઓ અને યહૂદિયોના દેશોમાં રાજસત્તા સાથે ધર્મસત્તાઓ સક્રિય છે. તો ભારતમાં કેમ નહીં ? જવાબ ગુજરાતના લોકો આપશે. ગુજરાત નવા આદર્શનો અમલ કરશે. આમ ધર્મના નામે પહેલાથી પૂર્વ IPS ડી.જી વણઝારા રાજનીતિ કરી સત્તાના સોગઠાંમાં પગરવ માંડે તેમ છે.
12 મેના રોજ ડી જી વણઝારાનું ટ્વીટ
શું ગુજરાતના શાણા, સમજદાર, જાગૃત અને વ્યવહાર કુશળ લોકો પાસે એવો કોઈ માઈ નો લાલ નથી કે જે પર-પ્રકાશિત ચન્દ્ર ના બદલે સ્વયં-પ્રકાશિત સૂર્યની માફક પોતાના સામર્થ્ય, શક્તિ અને આત્મબળ થી સત્તા હાંસલ કરે, રાજ્ય ને રાજકીય સ્થિરતા આપે અને રાજ્ય નો સર્વાંગી વિકાસ કરે અને સૌનું કલ્યાણ કરે ? મારે દુઃખ સાથે જણાવવું પડે છે કે ૨૦૧૪થી ગુજરાત માં રાજકીય અસ્થિરતા નો કપરો કાળ શરૂ થયો છે. મુખ્યમંત્રી તરીકે તેમના સ્થાને આવેલ આનંદીબેન પટેલ, વિજયભાઈ રૂપાણી કે ભુપેન્દ્રભાઈ પટેલ ને પાંચ વર્ષની ટર્મ પુરી કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું નથી.
ગુજરાતમાં નવા રાજકીય વિકલ્પનો ઉદય થવા જઈ રહ્યો છે, જે ડિસેમ્બર ૨૦૨૨માં વિજય હાંસલ કરશે અને રાજસત્તા સાથે ધર્મસત્તાની સ્થાપના કરશે. મુસ્લિમો, ઈસાઈઓ અને યહૂદિયોના દેશોમાં રાજસત્તા સાથે ધર્મસત્તાઓ સક્રિય છે. તો ભારતમાં કેમ નહીં ? જવાબ ગુજરાતના લોકો આપશે. ગુજરાત નવા આદર્શનો અમલ કરશે.
શું ગુજરાતના શાણા, સમજદાર, જાગૃત અને વ્યવહાર કુશળ લોકો પાસે એવો કોઈ માઈ નો લાલ નથી કે જે પર-પ્રકાશિત ચન્દ્ર ના બદલે સ્વયં-પ્રકાશિત સૂર્યની માફક પોતાના સામર્થ્ય, શક્તિ અને આત્મબળ થી સત્તા હાંસલ કરે, રાજ્ય ને રાજકીય સ્થિરતા આપે અને રાજ્ય નો સર્વાંગી વિકાસ કરે અને સૌનું કલ્યાણ કરે ?
સતત પૂર્વ IPS ડી.જી વણઝારા પોતાના ટ્વીટરમાં સરકારને ટાર્ગેટ કરી રહ્યા છે અને લોકોને અપીલ કરી રહયા છે કે કુશાસનમાંથી છુટકારો મેળવે. તેવામાં સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ પૂર્વ IPS ડી.જી વણઝારા જો રાજકારણમાં એન્ટ્રી કરે તો તે નવી ઉભરતી આપ પાર્ટીનું ઝાડુ પકડી શકે છે.