ગરૂડ પુરાણમાં મોત સાથે જોડાયેલા અમુક એવા રહસ્યો અંગે જણાવવામાં આવ્યું છે, જે મોતનો સંકેત આપે છે. મૃત્યુ જ્યારે નજીક હોય છે ત્યારે મૃત્યુ પામનાર વ્યક્તિને સંકેત મળે છે.
મૃત્યુ પહેલા વ્યક્તિને મળે છે આ પાંચ સંકેત
શરીરમાં થાય છે આ મોટા ફેરફાર
ગરૂડ પુરાણમાં છે આ વાતનો ઉલ્લેખ
18 પુરાણોમાં ગરૂડ પુરાણનુ મહત્વ સૌથી વધારે
હિન્દુ ધર્મના બધા 18 પુરાણોમાં ગરૂડ પુરાણનુ મહત્વ સૌથી વધારે માનવામાં આવ્યું છે. આ વિષ્ણુ પુરાણનો જ એક ભાગ છે, જેના ભગવાન વિષ્ણુ જ દેવ માનવામાં આવ્યાં છે. માણસનુ મૃત્યુ બાદ પુરાણને વાંચવુ યોગ્ય માનવામાં આવે છે. આ પુરાણમાં મોત બાદની કહાનીઓ અને રહસ્યોની જાણકારી આપવામાં આવી છે. આ જણાવે છે કે મોત બાદ આત્માની સાથે શુ થાય છે. પાપની સજા કેવીરીતે નક્કી થાય છે. આ પુરાણમાં પાપ, પુણ્ય, સ્વર્ગ, નરક, નીતિ, નિયમ, ધર્મ અને અધર્મની વાતોનો ઉલ્લેખ છે.
મૃત્યુ જ્યારે નજીક હોય છે, ત્યારે માણસને મળે છે આવા સંકેત
ગરૂડ પુરાણ મુજબ જે લોકો કર્મ કરે છે, તેનુ સારું અથવા ખરાબ ફળ તેમને આ જીવનમાં ભોગવવુ પડે છે. તો અમુક ફળ મૃત્યુ બાદ પણ ભોગવવુ પડે છે. આ પુરાણમાં મોત સાથે જોડાયેલા અમુક એવા રહસ્યો અંગે જણાવવામાં આવ્યું છે, જે મોતનો સંકેત આપે છે. ગરૂડ પુરાણ મુજબ મૃત્યુ જ્યારે નજીક હોય છે ત્યારે મૃત્યુ પામનાર વ્યક્તિને સંકેત મળે છે. આવો જાણીએ એવા કયા સંકેત મળે છે.
ગરૂડ પુરાણ મુજબ જ્યારે કોઈનુ મૃત્યુ નજીક આવે છે, તો તેને પોતાનુ નાક દેખાવાનુ બંધ થાય છે. તે લાખ પ્રયાસ કરી લે પરંતુ તે વ્યક્તિને પોતાનુ નાક દેખાતુ નથી.
ગરૂડ પુરાણ મુજબ મૃત્યુ નજીક હોવાથી વ્યક્તિનો પડછાયો પણ તેનો સાથ છોડી દે છે. તેને પાણી અથવા તેલમાં પોતાનો પડછાયો દેખાતો નથી.
મૃત્યુ પહેલા મૃત્યુ પામનાર વ્યક્તિને સપનામાં ગજબ વસ્તુઓ દેખાય છે. તેને બુઝાયેલો દીવો દેખાય છે. ગરૂડ પુરાણ મુજબ આ મૃત્યુનો સંકેત માનવામાં આવે છે.
મૃત્યુ પહેલા હાથની રેખાઓ ધુંધળી પડી જાય છે. હલ્કી પડી જાય છે. ગરૂડ પુરાણ મુજબ કેટલાંક લોકોને પોતાના હાથની રેખાઓ બિલ્કુલ પણ દેખાતી નથી.
મૃત્યુ પહેલા વ્યક્તિને એક અલગ પ્રકારનો અહેસાસ થાય છે, જેમકે તેમને લાગે છે કે તેની આજુબાજુ અમુક આત્માઓ ફરતી હોય છે. ગરૂડ પુરાણ મુજબ આ તેમના પૂર્વજોની આત્માઓ હોય છે. તેમને આ વાતનો આનંદ હોય છે કે તેમનુ કોઈ સ્વજન હવે તેમની પાસે જવાનુ છે.