આજે હનુમાન જયંતિની ઉજવણી દેશભરમાં થઇ રહી છે. કેટલાય હનુમાન મંદિરોમાં પૂજા-અર્ચના દ્વારા હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમે આપને હનુમાનજી સાથે જોડાયેલ એક ખાસ બાબત વિશે જણાવીશું.
આજે હનુમાન જયંતિની ઉજવણી દેશભરમાં થઇ રહી છે. કેટલાય હનુમાન મંદિરોમાં પૂજા-અર્ચના દ્વારા હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમે આપને હનુમાનજી સાથે જોડાયેલ એક ખાસ બાબત વિશે જણાવીશું.
પવનપુત્ર હનુમાનજી અમર છે. રામાયણ કાળમાં જન્મેલ હનુમાનજી સેંકડો વર્ષો બાદ મહાભારત કાળમાં જીવિત હતા. એવું માનવામાં આવી રહ્યું છે કે, મહાભારતની લડાઇના એલાન પહેલા હનુમાનજી પાંડવોને મળવા માટે આવતા હતા. જો કે, આ ઘટનાના વર્ષો બાદ આજે ડીજીટલ યુગમાં પણ હનુમાનજી જીવીત હોવાના સમાચારો પ્રાપ્ત થયાં છે. શ્રીલંકાના જંગલોમાં હનુમાનજી હાજર હોવાના સંકેતો મળ્યા છે.
એક વેબસાઇટે દાવો કર્યો છે કે, હનુમાનજી દર 41 વર્ષે એક વખત એક જનજાતિના સમુદાયને મળવા આવે છે. ત્યારે હનુમાનજી આગામી 2055માં અહીં આવશે. આ જનજાતિના લોકોએ તેમને 'માતંગ' નામ આપેલ છે.
સેતુના જણાવ્યા મુજબ આ કબિલાનો ઇતિહાસ રામાયણ કાળ સાથે જોડાયેલ છે. તેમને વરદાન મળ્યું છે કે, તેઓ ચિરંજીવ રહેશે. એવી માન્યતા છે કે, ભગવાન રામના સ્વર્ગે સિધાવ્યા બાદ હનુમાનજી દક્ષિણ ભારતના જંગલમાં પરત ફર્યા હતા.
ત્યારબાદ તેમણે સમુદ્ર પાર કર્યો અને શ્રીલંકા પહોંચ્યા. તે સમયથી લાંબા સમય સુધી તેઓ શ્રીલંકાના જંગલોમાં રહ્યા અને કબિલાના લોકોએ તેમની સેવા કરી. આ સાથે જ હનુમાનજીએ આ કબિલાના લોકોને બ્રમ્હજ્ઞાન કરાવ્યું અને દર 41 વર્ષે મળવા આવવાનો વાયદો પણ કર્યો. આપને જણાવી દઇએ કે, 27 મે 2014ના રોજ હનુમાનજી અહીં આવ્યા હતા અને હવે તેઓ 2055માં અહીં આવશે તેવો દાવો સેતુ નામની વેબસાઇટે કર્યો છે.