આ વર્ષે ધનતેરસનો તહેવાર 22 અને 23 ઓક્ટોબર એમ બે દિવસ માટે ઉજવવામાં આવશે. ધનતેરસ પર કેટલીક ખાસ વસ્તુઓ દેખાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેના દેખાવ પર વ્યક્તિનું ભાગ્ય ચમકે છે.
ધનતેરસ પર આ વસ્તુઓ દેખાવવી માનવામાં આવે છે શુભ
દેખાવવા પર ચમકી ઉઠે છે વ્યક્તિનું ભાગ્ય
ઘરે થશે માતા લક્ષ્મીનું આગમન
દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ વર્ષે ધનતેરસનો તહેવાર 22 અને 23 ઓક્ટોબર 2022ના બે દિવસ માટે ઉજવવામાં આવશે. આ દિવસે નવી વસ્તુઓની ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે દેવી લક્ષ્મી ખરીદેલી વસ્તુઓમાં 13 ગણી વૃદ્ધિ કરે છે.
ધનતેરસ દિવાળીના તહેવારની શરૂઆત ગણવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ધનતેરસ પર કેટલીક ખાસ વસ્તુઓ દેખાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને જોવાથી વ્યક્તિનું ભાગ્ય ચમકે છે અને ધન સંબંધિત દરેક સમસ્યાનો અંત આવે છે. આવો જાણીએ ધનતેરસ પર કઈ વસ્તુઓ જોવાથી લાભ થાય છે.
કિન્નર
કિન્નરોને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. તેમના આશીર્વાદથી ગરીબો પણ અમીર બની જાય છે. ધનતેરસ પર કિન્નરોનું દેખાવું એ શુભતાનું પ્રતીક છે. એવું માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે જો કોઈ કિન્નરો સ્વેચ્છાએ કોઈ વ્યક્તિને પોતાની પાસેનો સિક્કો દાનમાં આપે તો અપાર ધન લાભના યોગ બને છે. પૈસાની તમામ સમસ્યાઓનો અંત આવે છે. જીવનમાં ક્યારેય પૈસા ઉછીના લેવાની જરૂર પડતી નથી.
સિક્કા
ધનતેરસના દિવસે રસ્તા પર સિક્કો પડેલો મળવો શુભ માનવામાં આવે છે. આ સૌભાગ્યમાં વૃદ્ધિની તરફ ઈસારો કરે છે. જો રસ્તામાં કોઈ સિક્કો દેખાય તો તેને ઉઠાવીને પૈસાની જગ્યાએ અથવા તિજોરીમાં રાખો. એવું માનવામાં આવે છે કે તેનાથી બરકત બની રહે છે.
ગરોળી
સામાન્ય રીતે ઘરમાં ઘણી વખત ગરોળી જોવા મળે છે. પરંતુ શકુન શાસ્ત્ર અનુસાર ધનતેરસની સાંજની પૂજા પછી ગરોળીનું દેખાવું દેવી લક્ષ્મીની પ્રસન્નતાનું સૂચક માનવામાં આવે છે. તેનું દેખાવવું સંપત્તિમાં વધારો સૂચવે છે. મા લક્ષ્મીની સાથે કુબરે દેવની પણ કૃપા રહે છે. જો ગરોળી દેખાય તો 'ઓમ મહાલક્ષ્માય નમઃ' મંત્રનો જાપ કરો અને તેને દૂરથી અક્ષત અર્પણ કરો.
બિલાડી
ધનતેરસ પર સફેદ બિલાડી જોવા મળવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. શકુન શાસ્ત્ર અનુસાર આ લાંબા સમયથી અટકેલા કાર્ય અથવા આ દિવસે કોઈ પણ શુભ કામ વગર કોઈ શંકટે પૂર્ણ થવાનો સંકેત માનવામાં આવે છે.