પેન્ક્રિયાટિક કેન્સર પેટના નિચેના ભાગ (અગ્નાશય)ના પાછળના અંગમાં થાય છે જે ખૂબ જ ખતરનાક કેન્સર છે. તેના લક્ષણોની શરૂઆતમાં જાણકારી નથી રહેતી કે કેમ વજન ઓછુ થઈ રહ્યું છે કે પેટમાં દુખાવો થઈ રહ્યો છે.
પેન્ક્રિયાટિક કેન્સરના લક્ષણો જાણો
આ સૌથી ખતરનાક કેન્સરનો પ્રકાર
પગમાં પણ જોવા મળે છે તેના સંકેત
કેન્સર એક એવી બીમારી છે જેની પરમનેન્ટ સારવાર સંભવ નથી. તેના ઉપરાંત બીમારીથી શરીરના કોષ નષ્ટ થવા લાગે છે અને પછી ધીરે ધીરે ઓર્ગન કામ કરવાનું બંધ કરી દે છે. જો સમય રહેતા આ બીમારીની જાણકારી મળી જાય તો કેન્સરની સારવાર કરી શકાય છે.
ઘણા પ્રકારના હોય છે કેન્સર
કેન્સર ઘણા પ્રકારના હોય છે જેમાં પેન્ક્રિયાટિક કેન્સર પણ ખૂબ જ ખતરનાક હોય છે. હાલમાં જ એક્સપર્ટ દ્વારા પેન્ક્રિયાટિક કેન્સર જે પેટના નિચેના ભાગ (અગન્યાશય)ના પાછળના અંગમાં થાય છે. તેના લક્ષણો વિશે જણાવવામાં આવ્યું છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે પેન્ક્રિયાઝ શરીરના ખૂબ અંદર હોય છે માટે શરૂઆતમાં તેની જાણકારી મેળવવી મુશ્કેલ છે. તેના લક્ષણ પગમાં જોવા મળે છે. જેનાથી કેન્સરની જાણકારી મેળવી શકાય છે.
પેન્ક્રિયાટિક કેન્સરમાં દેખાય છે આ લક્ષણ
કેન્સર સોસાયટીના અનુસાર, પેન્ક્રિયાટિક કેન્સરમાં એવી ક્ષમતા હોય છે જે લોહીને હાઈપર -કોગ્યુલેટિવ સ્ટેજમાં પહોંચાડી દે છે. આ એ સ્ટેજ હોય છે. જ્યાં લોહીના ગઠ્ઠા જામી જાય છે. જો કોઈને આ કેન્સ થાય છે તો તેના પગમાં લોહીની ગાંઠો જામી જાય છે અને તે પેન્ક્રિયાટિક કેન્સરનું પહેલું લક્ષણ હોઈ શકે છે. નસોમાં લોહી જામવાને ડીપ વેન થ્રામ્બોસિસ કહેવામાં આવે છે.
આવા સંકેતો જણાય તો થઈ જજો સાવધાન
કેન્સર સોસાયટીના જણાવ્યા અનુસાર કેન્સરના લક્ષણોમાં દુખાવો, સોજો, પગનું લાલ થવું અને પગ ગરમ પહેવા શામેલ છે. અમુક કેસમાં બ્લડ ક્લોટ લંગ્સ સુધી આ પહોંચી શકે છે. જેના કારણે શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે. આવી સ્થિતિને પલ્મોનરી એમ્બોલિજ્મ કહેવામાં આવે છે અને તેનાથી મોતનું જોખમ વધી જાય છે.
સૌથી ખતરનાક છે પેન્ક્રિયાટિક કેન્સર
યુરોપીય કેન્સર પેશન્ટ કોઅલિશન અનુસાર, સર્વેના રિઝલ્ટથી આ વાત સામે આવી છે કે દર્દીઓમાં જાગરૂકતાની કમીના કારણે DVTનો ખતરો વધી રહ્યો છે. મેયો ક્લિનિકમાં પેન્ક્રિયાઝ ડિસીઝ ગ્રુપના ડાયરેક્ટર ડોક્ટર શાંતિ સ્વરૂપ વેગ અનુસાર, પેન્ક્રિયાટિક કેન્સરની સારવાર ખૂબ જ મુશ્કેલ છે.
પેન્ક્રિયાટિક કેન્સરના લક્ષણો
ડો. વેગેએ જણાવ્યા અનુસાર, પેન્ક્રિયાટિક કેન્સરના લક્ષણોમાં વજન ઓછુ થવુ અને પેટનો દુખાવો થવા જેવા લક્ષણો નથી દેખાતા જેના કારણે તેની જાણકારી મેળવવી મુશ્કેલ છે. શરીરમાં અગ્નાશયની સ્થિતિના કારણે બાયોપ્સીમાં પણ મુશ્કેલી આવી શકે છે. અમારા સામે આ સૌથી મોટી સમસ્યા છે. સામાન્ય રીતે આ પ્રકારના કેન્સ વાળા લોકોમાં અપચો અને પેટમાં ગેસ અથવા એસિડિટીની સમસ્યા જોવા મળે છે.