સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં સંડોવાયેલ ગુજરાતના વધુ 3 શકમંદોને દિલ્હી પોલીસે કચ્છથી ઊઠાવી લીધા છે.
પ્રખ્યાત સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યાનો મામલો
સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસના તાર ગુજરાત સુધી પહોંચ્યા
અગાઉ ગુજરાતના સંતોષ જાધવની કરાઇ હતી ધરપકડ
પ્રખ્યાત સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યાને લઇને સમગ્ર દેશ હચમચી ગયો છે. આ હત્યાને પગલે દિલ્હી પોલીસ એલર્ટ મોડ પર આવી કામ કારી રહી છે. આ પ્રકરણમાં સંડોવાયેલ એક પછી એક શકમંદ શખ્સોને પોલીસ સકંજામાં લઇ રહી છે. તેવા સંજોગો વચ્ચે સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસના તાર ગુજરાત સુધી પહોંચ્યા હોય તેમ દિલ્હી પોલીસે લૉરેન્સ બિશ્નોઈ ગેંગના 3 શખ્સોને કચ્છથી દબોચી લેતા હડકંપ મચી ગયો છે.
ત્રણેય શખ્સો લૉરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલ હોવાનું ખૂલ્યું
આ પ્રકરણમાં દિલ્હી પોલીસની ઊંડી તપાસ દરમિયાન મળેલી જાણકારી મુજબ આ ત્રણેય શખ્સો લૉરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલ હોવાનું સામે આવ્યું છે.વધુમાં હરિયાણાના કુખ્યાત ગેંગસ્ટર નરેશ સેઠીના વંશજો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. મહત્વનું છે કે, કુખ્યાત નરેશ સેઠી હવે લૉરેન્સ બિશ્નોઈ સાથે જોડાયેલ છે. જેને પગેલ પોલીસ દ્વારા ત્રણેય આરોપીને કચ્છમાથી ઝડપી પાડી દિલ્હી લઈ જવાયા હતા. નોંધનિય છે કે ગુજરાતનો જ સંતોષ જાધવ નામનો શખ્સ સિધ્ધુ મુસેવાલા પર ગોળી ચલાવવાના આરોપ હેઠળ શકમંદ હોવાને લઇને અગાઉ પૂણે પોલીસે સંતોષ જાધવાને દબોચી લીધો હતો.
29 મેના રોજ માનસા નજીક ગોળી મારી સિદ્ધુ મુસેવાલાની કરાઇ હતી હત્યા
કોંગ્રેસના નેતા અને ગાયક શુભદીપ સિંહ ઉર્ફે સિદ્ધુ મુસેવાલાની 29 મેના રોજ માનસા નજીક ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પંજાબ સરકારે રાજ્યમાં તેમની સુરક્ષા ઘટાડી દીધાના એ જ દિવસે સિદ્ધુ મુસેવાલાની હત્યા કરી દેવામાં આવી હતી. મુસેવાલા જ્યારે અન્ય બે લોકો સાથે માનસા જિલ્લાના જવાહર કે ગામમાં એસયુવી ચલાવી રહ્યા હતા ત્યારે ફાયરિંગ કરાયું હતું. ત્યારબાદ તેણે માનસા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હોવાનું જાહેર થવા પામ્યું હતું.